SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથન જૈનધર્મમાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ અર્ધચક્રવર્તી (નારાયણ) ૯ પ્રતિઅર્ધચક્રવર્તી (પ્રતિનારાયણ) અને ૯ બળદેવ મળીને કુળ ૬૩ શલાકાપુરુષો દરેક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં ૩-૪ આરામાં ઉત્પન્ન થાય છે. આ ૬૩ શલાકાપુરુષો ઉપરાંત ૨૪ કામદેવો (અતિશય રૂપવાન) ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલાકના ચિરત્રો તો જૈનકવિઓને બહુ જ રોચક લાગ્યાં છે, એટલે તેમણે તેમના ઉ૫૨ કાવ્યકૃતિઓનું સર્જન કર્યું છે. ૩૨૪ કામદેવ આ પ્રમાણે છે—બાહુબલિ, પ્રજાપતિ, શ્રીભદ્ર, દર્શનભદ્ર, પ્રસેનચન્દ્ર, ચન્દ્રવર્ય, અગ્નિમુખ, સનન્કુમાર, વત્સરાજ, કનકપ્રભ, મેઘપ્રભ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, નલરાજા, હનુમાન, બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમ્ન, નાગકુમાર, જીવન્ધર અને જમ્મૂ. આમાંથી શાન્તિ, કુન્થુ અને અર તીર્થંકરોમાં આવે છે. સનત્યુમાર ચક્રવર્તીમાં આવે છે. બાકીનામાં બાહુબલિ, વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, નલરાજ, હનુમાન, બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમ્ન, નાગકુમાર, જીવન્ધર અને જમ્મૂના ચિરત્રો ઉપર જૈનકિવઓએ બહુવિધ રચનાઓ કરી છે. ૧. ૨. જૈનબૃહદ્સાહિત્યનો ઇતિહાસ ગુજરાતી આવૃત્તિમાંથી સાભાર ઉદ્ધૃત - પૃષ્ઠ નં. ૧૩૨-૧૩૩ કામદેવોના જીવનની વિશેષતા એ છે કે તે અનેક આકર્ષણોથી ભરપૂર હોય છે. તેમાં માનવની દુર્બળતાઓ અને તેના ઉત્થાન-પતનનું ચિત્રણ દર્શાવવામાં આવે છે. બધા કામદેવ ચરમશીરી (તે જ ભવમાં મોક્ષે જનાર) હોય છે. Jain Education International2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy