SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અવશિષ્ટ સુરપ્રિયની કથા ૧૯૧ પરિણામવાળો તે દીક્ષા લઈ ગુરુની સાથે ગામ ખાણ અને નગરોથી મંડિત પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. વિહાર કરતાં કરતાં તે મુનિ ફરીને પાછા સુસૌમ્ય નગર તરફ આવ્યા, અને બહાર ઉદ્યાનમાં શિલાતળ ઉપર નિશ્ચળ ધ્યાન ધરીને રહ્યા. એ અરસામાં એવું બન્યું કે ત્યાંના રાજાની રાણી પેલો રત્નાવલી હાર કંઠમાંથી ઉતારી યોગ્ય સ્થાનકે મૂકીને ન્હાવા ગઈ. ત્યાં પેલો ઉભાવક પક્ષી આવ્યો. તે પોતાની કાંતિથી જાજવલ્યમાન એવા તે રત્નાવળીને માંસનો કકડો જાણી ચાંચમાં લઈને કોઈ ન જાણે તેમ ઉડી ગયો. સ્નાન કર્યા પછી આવીને રાણી જુએ છે તો રત્નાવલી તેણીના જોવામાં આવ્યો નહીં; તેથી તેણે તત્કાળ કોપ કરી કડવાં વચને રાજાને કહ્યું કે “જો તમે તમારી સ્ત્રીના આભરણની રક્ષા કરવાને પણ સમર્થ નથી તો પછી તમે પૃથ્વીની રક્ષા શી રીતે કરી શકશો ? આવાં રાણીનાં વચન સાંભળીને રાજાએ પોતાના સેવક જનોને બોલાવીને આજ્ઞા કરી કે “તમે સર્વ પ્રકારના પ્રયત્નથી રત્નાવળીના ચોરને શોધી કાઢો.” રાજાના કહેવાથી તે પુરુષો સર્વ સ્થાનકે તપાસ કરતાં કરતાં જ્યાં પેલા મુનિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે તે ઉદ્યાનમાં આવ્યા. હવે પેલો પક્ષી ચાંચમાં રત્નાવળી લઈને કોઈ વૃક્ષનો ખીલો ઊભો છે એવી શંકાથી મુનિના માથા પર આવીને બેઠો. ત્યાં તે મુનિને જોતાં જ જન્માંતરમાં બાંધેલા વૈરથી ભયભીત થઈને રત્નાવળી ત્યાંજ મુકીને તત્કાળ ઊડી ગયો. તે રત્નાવલી મુનિના ચરણકમળની વચ્ચે પડ્યો; અને તે તરતમાં જ ત્યાં આવેલા રાજપુરુષોના જોવામાં આવ્યો. એટલે તેઓ બોલ્યા કે–“જુઓ, મુનિના વેષને ધરનારો આ રત્નાવલીનો ચોર છે.' પછી તરત જ તેઓએ તે વાત રાજાને જણાવી; એટલે રાજાએ વિચાર્યા વગર ક્રોધ કરીને પોતાના પુરુષોને કહ્યું કે “એ દુષ્ટને વૃક્ષની શાખા સાથે ગળે ફાંસો બાંધીને મારી નાખો.” રાજપુરુષો રાજાનો તેવો આદેશ પામીને સાધુ પાસે આવ્યા અને ધ્યાનમાં લીન થયેલા મુનિને કહ્યું કે-“હે દુખ ! રત્નાવળીના ચોર તરીકે તું આજે અમને મળી ગયો છે. પણ તે જેમ રાજાની રાણીનો રત્નાવલી ચોર્યો તેમ આ નગરમાં આવીને બીજું પણ જે જે ચોર્યું હોય તે કહી દે. રાજાએ તો રુટમાન થઈને આજે તને દુષ્ટને મારી નાખવાનો આદેશ આપ્યો છે, તો પણ તું પ્રગટપણે બધું કહી દે તો તારા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy