SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રીવિજયચંદ્રવળીચરિત્ર જીવવાનો કોઈ ઉપાય છે, તે સિવાય અન્યથા તારું જીવિત રહેવાનું નથી.” આ પ્રમાણે કહેવા છતાં પણ સત્ય પ્રતિજ્ઞાવાળા મુનિ ધ્યાનથી ચલિત થયા નહીં, એટલે તેઓએ ફરીને તે મુનિને કહ્યું કે “ત્યારે હવે તું તારા ઈષ્ટ દેવને સંભારી લે.' એમ કહીને તેઓએ મુનિના કંઠમાં પાશ નાખ્યો અને વૃક્ષની શાખા સાથે બાંધ્યો, એટલે તરત જ પાસ તૂટી ગયો. એવી રીતે ત્રણવાર નિશ્ચય ચિત્તવાળા તે મુનિને શૂળી દંડ ઉપર ચડાવ્યા. તે સમયે મુનિનું નિશ્ચળ ચિત્ત જોઈને તુષ્ટમાન થયેલ શાસન દેવતાએ તે શૂળીની ઉપર ઉત્તમ સુવર્ણ તથા મણિજડિત આસન કરી દીધું. પેલા દુષ્ટો જેમ જેમ શૂળી ઉપર રહેલા મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા, તેમ તેમ તે મહાત્મા મુનિ પરમધ્યાન ઉપર આરૂઢ થવા લાગ્યા. અનુક્રમે શુકલધ્યાનમાં રહેલા તે ધીર મુનિવરના ચાર ઘાતકર્મનો ક્ષય થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે દેવતાઓએ તે મુનિવરના કેવળજ્ઞાનનો મહિમા કર્યો, અને સુગંધી જળે મિશ્રિત પુષ્પસમૂહની તેમના મસ્તક પર વૃષ્ટિ કરી. પેલા રાજપુરુષોએ રાજાની આગળ જઈને જેવું પોતે જોયું હતું તેવું તે મુનિનું સર્વ ચરિત્ર નિવેદન કર્યું. તે સાંભળી હૃદયમાં મોટું આશ્ચર્ય પામી રાજાએ પોતાના પુરુષોને કહ્યું કે-“એવા ચોર મુનિને કેવળજ્ઞાન શી રીતે થયું? માટે જરૂર તેને ચોર ઠરાવી શિક્ષા કરી તે ભૂલ કરી છે માટે હું જઈને તેમને ખમાવું. આ પ્રમાણે રાજા પોતાના નગરના નરનારી જનોથી પરિવૃત્ત થઈ તે મુનિ પાસે ગયો અને ભક્તિથી નમીને ખમાવવા લાગ્યો. પછી બોલ્યો કે “હે ભગવન્! મેં પાપીએ મોહમૂઢ થઈને જે તમારો અપરાધ કર્યો છે તે સર્વ ક્ષમા કરો.” આ પ્રમાણે કહીને તેણે મુનિને વારંવાર નમન કર્યું. પછી મુનિએ આશિષ આપી, એટલે તે પૃથ્વીતળ ઉપર બેઠો. પછી દેવતાએ રચેલા સુવર્ણકમળ ઉપર બેઠેલા મુનિનાથે અનેક દેવતાઓ તથા વગેરેની પર્ષદામાં તે રાજાને મધુર વચનથી કહ્યું કે-“અજ્ઞાનથી અંધ થયેલો જીવ મોહરૂપ અટવીમાં પડેલો જ્ઞાનમાર્ગને પામ્યા વિના એવું કર્યું દુઃખ છે કે જે દુઃખને તે પામતો નથી? અર્થાત્ ઘણાં દુઃખ પામે છે. અતિ કષ્ટકારી પાપકર્મથી પણ અજ્ઞાન મહા કષ્ટરૂપ છે કે જેનાવડે આવરેલો જીવ હિત કે અહિતને જાણી શકતો નથી. હે રાજન્ ! સહાય વગરના એવા મને તું સહાયક થયો છે. તેમાં તારો Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy