SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર છે. આ પ્રદેશમાં તે હણેલો તારો પિતા સર્પ થયો હતો, તે સર્પ થયેલા પિતાને મારીને તે રત્નાવલી ગ્રહણ કરી છે. તે ભદ્ર ! આ પ્રમાણે તારું આ ભવનું ચરિત્ર છે, તે મેં સંક્ષેપથી તને કહ્યું છે, માટે હવે તે જાણીને તું વૈરને દૂર કર.” એવી રીતે મુનિમહારાજે કહેલ પોતાના પૂર્વજન્મનું ચરિત્ર સાંભળીને તે સુરપ્રિયને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાના પૂર્વજન્મને સંભારીને તે તત્કાળ સંવેગને પ્રાપ્ત થયા. પછી મુનિનાથના ચરણમાં પડી મસ્તકવડે નમસ્કાર કરીને તે ખમાવવા લાગ્યો, અને કહેવા લાગ્યો કે “હે સ્વામી ! આ પાપીનું સર્વ દુશ્ચરિત્ર ક્ષમા કરજો.” વળી તે બોલ્યો કે-“અરે પાપનો વિપાક કેવો દુઃખદાયક છે કે જેના વડે અર્ધલુબ્ધ થઈને મેં આ જન્મમાં બે ભવમાં મારા પિતાના જીવને મારી નાખ્યો. તે પુરુષોને ધન્ય છે કે જે પુરુષો દ્રવ્યનો વિનાશ થાય તો પણ પોતાના માતાપિતા અને બંધુજન ઉપર સર્વદા વત્સલ રહે છે. આ જગતમાં જેઓ પોતાના માતાપિતા, બંધુ અને ગુરુજનની આશા પૂરે છે તેઓને જ ધન્ય છે અને તેઓ જ પોતાના કુળરૂપ નિર્મળ ગગનતળમાં ચંદ્ર સમાન છે. હે ભગવન્! તમારા પ્રત્યે ને મારા પિતા પ્રત્યે મેં પાપીએ જે દુષ્ટ આચરણા કરી છે, તેની શુદ્ધિ માટે હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” મુનિ બોલ્યા“હે ભદ્ર ! તેમ કરીશ નહીં; કારણકે પાપવડે પાપની શુદ્ધિ થતી નથી. રુધિરથી ખરડાયેલું વસ્ત્ર રુધિરવડે શુદ્ધ થતું નથી. જો તું વિશુદ્ધિ કરવાને ઇચ્છતા હો તો નિશ્ચળ ચિત્ત વડે શ્રીજિનધર્મને અંગીકાર કર અને સમ્યગુ બુદ્ધિ વડે સમ્યકત્વને સંપાદન કર. કહ્યું છે કે “જીવને પ્રથમ મનુષ્યપણું પ્રાપ્ત થવું દુર્લભ છે, તેમાં પણ જીવિતવ્ય દુર્લભ છે, અને ગુરુનો યોગ થયાં છતાં પણ શ્રીજિનેશ્વરભગવંતે કહેલો ધર્મ અંગીકાર કરવો દુર્લભ છે.” તેથી આવું ઉત્તમ અને દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરીને પ્રમાદ કર નહીં; સર્વદા ધર્મમાં ઉજમાળ થા અને મોહજાળમાં મુંઝાઈ રહે નહીં.” પછી સુરપ્રિય બોલ્યો-“હે સ્વામી ! તમે આપેલો આ હિતોપદેશ અમૃતના ભરેલા ઘડાની જેમ હું આપને નમીને મસ્તક પર ચડાવું છું.” પછી તે સુરપ્રિયે પોતાના નગરમાં ગયો અને રાજાને નિધાનની વાત જાહેર કરી, તે સ્થાનકેથી દ્રવ્ય કાઢીને ધર્મકાર્યમાં વાપર્યું અને પેલો રત્નાવલી હાર રાજાની ઇષ્ટ પ્રિયાને અર્પણ કર્યો. પછી શ્રીજિનધર્મમાં શુદ્ધ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy