SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ અવશિષ્ટ સુરપ્રિયની કથા સિંહ વસતો હતો. તે સિંહે એકવાર તે હાથીને ભમતો જોયો, તેથી તત્કાળ તે સિંહ કોપથી છળીને ગગનમાંથી જેમ વિજળીનો પુંજ પડે તેમ તે હસ્તીના દેહ ઉપર પડ્યો. પછી તે ગજેન્દ્રને મારીને તે સિંહ અરણ્યમાં આગળ ચાલ્યો. તેવામાં ક્રોધાનળથી પ્રદીપ્ત ચિત્તવાળા અષ્ટાપદે તેને જોયો; એટલે તે સિંહે જેમ ગજેન્દ્રને માર્યો હતો તેમ સરંભે તે સિંહને પણ મારી નાખ્યો. જે પ્રાણી જેવું કર્મ કરે છે તેવું આ જન્મમાં જ તે ભોગવે છે. પાપી પાપનું ફળ પાપવડે આ જન્મમાં જ પ્રાપ્ત કરે છે. જેમ તે ગજેન્દ્રનો વધ કરનારો સિંહ સરભથી આ ભવમાં જ પાપનું ફળ પામ્યો. સરભે જેના શરીરનો ઘાત કર્યો છે એવો તે સિંહ રૌદ્રધ્યાનથી મૃત્યુ પામીને પહેલી નારકીમાં ઉત્પન્ન થયો. ત્યાં ઘણું છેદન-ભેદનાદિ સહન કરતો તે સિહ દુઃખાર્તપણામાં ક્ષણવાર પણ તિલતુષ માત્ર સુખ મેળવી શકો નહીં. નારકીમાં અહોરાત્ર રંધાઈ જતાં પ્રાણીઓને નેત્ર મીંચીને ઉઘાડીએ એટલો વખત પણ સુખ હોતું નથી, તેઓને સતત દુઃખ જ હોય છે. સિંહનો જીવ નરકમાં અનેક પ્રકારનાં દુઃખો અનુભવીને આયુષ્યનો ક્ષય થતાં તારો પિતા સુંદર શ્રેષ્ઠી થયો અને પેલા ગજેન્દ્રનો જીવ અનેક ભવની શ્રેણીમાં પરિભ્રમણ કરીને સુરપ્રિય નામે તું તેનો પુત્ર થયો. આ પ્રમાણે મેં તને પૂર્વભવનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું. હવે આ ભવનું ચરિત્ર કહું છું તે સાંભળ–આ ભવમાં તારા પિતા અને તારી વચ્ચે જે તદ્દન સ્નેહ રહિતપણું હતું તે પૂર્વભવમાં બાંધેલા તીવ્ર વૈરના અનુબંધને લીધે જ હતું. ધર્મ, કર્મ, વૈર અને પ્રીતિ આ ભવમાં જે હોય છે તે સર્વ પ્રાણીઓને અભ્યાસ વડે ભવાંતરમાં પ્રવર્ધમાન થાય છે. વળી તે જે આ પ્રદેશમાં દ્રવ્યનો ભંડાર જોયો તે તારા પિતામહે પુત્રના ભયવડે દાટેલો હતો; અને તે આ પ્રદેશમાં જ ઉગ્ર સર્પના ડસવાથી મૃત્યુ પામ્યો હતો. તેનો જીવ મૃત્યુ પામીને મોહના દોષથી આ પોંયાડપણે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયો છે. જ્યારે મોહનો તીવ્ર ઉદય થાય છે ત્યારે અજ્ઞાન, મહાભય અને કોમળતાને વેદવારૂપ એકેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. પેલા પુયાડે લોભના દોષથી એકેન્દ્રિયપણામાં પણ તે નિધાનની ઉપર પોતાના મૂળિયાં નાંખ્યાં છે; કારણ કે એકેન્દ્રિય જીવ પણ લોભરૂપ પિશાચવડે પ્રસ્ત થાય છે. દરેક ભવમાં પ્રાણીને ભવાભ્યાસથી આહાર, ભય, પરિગ્રહ, મૈથુન, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઔઘ એ દશ સંજ્ઞાઓ પ્રાપ્ત થાય Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy