SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પિતાનું મૃતકાર્ય કર્યા પછી કેટલાક દિવસ વિત્યા બાદ એક દિવસ સુરપ્રિય દ્રવ્યના લોભથી પેલા નિધિને સ્થાનકે આવ્યો. ત્યાં આવતાં જ તેણે પેલા સર્પને જોયો. તેના દાંતના અગ્રભાગમાં તેજે કરીને દેદિપ્યમાન રત્નાવલી હાર ગ્રહણ કરેલો હતો. તેને જોતાં જ સુરપ્રિય ક્રોધ અને લોભથી યુક્ત થઈ ગયો અને કૃતાંતની જેવી દુ:પ્રેક્ષા દૃષ્ટિએ તેની સામું જોવા લાગ્યો. પેલો સર્પ પણ તેને જોતાં જ ભયથી શરીર કંપાવતો ભાગ્યો; એટલામાં તો તેના પુત્ર તેના મસ્તક પર એવો ઘા કર્યો કે જેથી તે રત્નાવલી સહિત પોતાના દેહને છોડીને મરણ પામ્યો અને કર્મદોષથી સિંચાનક પક્ષીપણે ઉત્પન્ન થયો. હવે સુરપ્રિયે પોતાની સ્ત્રીના બાહુયુગળની જેમ પોતાના કંઠમાં તે રત્નમાળા ગ્રહણ કરીને આરોપણ કરી; અને નિર્મળ ગુણવાળી દયિતાની જેમ એ રત્નમાળા જોઈને હર્ષિત થયેલો સુરપ્રિય પોતાના આત્માને આખા જગતમાં અધિક ભાગ્યશાળી માનવા લાગ્યો. પછી તે ભયભીતપણે ચિંતવવા લાગ્યો કે “જો આ વાત રાજા જાણશે તો મારા મસ્તક સહિત આ રત્નમાળા ગ્રહણ કરશે એમાં કાંઈ પણ સંદેહ નથી. આ પ્રમાણે ચિંતવીને તે જેવો ચારે દિશાએ જુવે છે, તેવામાં એક પ્રદેશ ઉપર ધ્યાનમાં સ્થિત રહેલા એક મુનિ તેના જોવામાં આવ્યા. મુનિને જોઈને તેણે ચિંતવ્યું કે “આ બહુ કૂડકપટથી ભરેલા મુનિએ મને નિર્મળ રત્નાવલી સહિત જરૂર જોયેલો છે તેથી તે જયાં સુધીમાં મારું આ દુથરિત્ર રાજાને જણાવે નહીં ત્યાં સુધીમાં હું એવું કરું કે જેથી તે શીઘ યમાલયમાં પહોંચી જાય.” આવું ચિંતવી પ્રચંડ દંડ ઉગામીને કોપને વહન કરતો તે સુરપ્રિય મુનિની સન્મુખ દોડ્યો, અને બોલ્યો કે “અરે ધૂર્ત સાધુ ! તું અહિ ઊભો રહીને મને જુએ છે, તેનું કારણ હું જાણું છું. પણ મેં તને દીઠો છે તો હવે તું જીવતો શી રીતે જઈ શકવાનો છે ? પણ તું નિશ્ચળ ચિત્ત કરીને કાંઈ બીજું તત્ત્વ ચિંતવતો હોય એમ લાગે છે, તેથી જો તું કાંઈ ન જાણતો હોય તો અરે દુખ ! તુ જ્ઞાનરહિત છે, ત્યારે અસહ્ય એવા મારા દંડનો પ્રહાર મસ્તક પર સહન કર.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને “આ પુરુષ પ્રતિબોધ પામે તેમ છે એવું સમ્યગ રીતે અવધિજ્ઞાન વડે જાણીને તે મુનિને પ્રણામ કરીને બોલ્યો કે–“ભગવન્! તમે મારું ચિંતિત બરાબર જાણ્યું છે, માટે હવે તે જણાવો.” મુનિ બોલ્યા-‘પૂર્વે વિંધ્ય અટવીને વિષે તું મદ ભરેલા ગંડસ્થળવાળો હસ્તી હતો. તે વનમાં હસ્તીઓના કુળનો નાશ કરનાર એક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy