SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અવશિષ્ટ સુરપ્રિયની કથા ૧૮૭ થયેલા પુરુષોને પ્રાયે નિદ્રા આવતી જ નથી. અર્થમાં લુબ્ધ એવા તે પિતા પુત્ર પોતાના ઘરમાં સુતા છે તેવામાં પુત્રે સુતા સુતા આ પ્રમાણે ચિંતવ્યું કે “પાછલી રાત્રે મારા પિતા જાણે નહીં તેમ હું તે સ્થળેથી પેલો દ્રવ્યનો નિધિ કાઢીને બીજે સ્થળે સંતાડી દઉં.' આ પ્રમાણે પુત્ર ચિતવે છે તેવામાં તો તેના પિતાએ સત્વર ત્યાં જઈ તે દ્રવ્ય કાઢીને બીજે સ્થળે નાખી દીધું; એટલામાં પુત્ર પણ ત્યાં આવ્યો. તેણે પૂછ્યું– પિતાજી ! પેલું દ્રવ્ય અહીંથી કાઢી લઈને ક્યાં નાંખ્યું?' પિતાએ કહ્યું–‘પુત્ર ! એવું વચન બોલ નહીં. હૃદયને ઇષ્ટ એવું તે દ્રવ્ય આ પ્રદેશમાં મારા જોવામાં આવ્યું જ નથી. કાનમાં શૂળ પરોવવા જેવું આવું પિતાનું વચન સાંભળીને ઘીથી સિંચન થયેલા અગ્નિના રાશિની જેમ પુત્ર ક્રોધાગ્નિથી પ્રજવલિત થઈ ગયો. તે બોલ્યો કે હે તાત ! મને ઘણો ક્રોધ ચડ્યો છે, તેથી તેવા ક્રોધવડે હું તમારા જીવિતને હરું ત્યારે અગાઉ તમે તમારા હાથમાં આવેલું પણ મહાઅનર્થ કરનારું દ્રવ્ય ક્યાં છે તે મને કહી દો.” પિતાએ કહ્યું ‘રે પુત્ર ! જો તે અર્થ અનર્થકારી છે તો તેને તેના ઉપર વહાલ કેમ આવે છે કે જેથી તૃષાતુર પંથી જેમ જળના સ્થાનકને માટે વારંવાર પૂછે તેમ વારંવાર પૂછ્યા કરે છે ? પણ તે દ્રવ્ય તને મળવાનું નથી. ક્યારેક જીવિત નષ્ટ તોય તો તે જન્માંતરે પણ મળે છે પણ નષ્ટ થયેલું દ્રવ્ય પુણ્ય રહિત પ્રાણીને ફરીને મળતું નથી. રે પુત્ર ! ક્યારેક તું દ્રવ્યલુબ્ધ થઈને ક્રોધથી મારા જીવિતને હરી લઈશ તો પણ જીવિતથી અધિક એવું તે દ્રવ્ય ક્યાં છે ? તે હું તને કહીશ નહીં.' આ પ્રમાણેનાં પિતાનાં વચન સાંભળી અગ્નિની જેમ ક્રોધથી પ્રજવલિત થયેલા પુત્રે તેના પિતાના ગળા ઉપર પગ મૂકીને એવો દાળ્યો કે જેથી “આને મારા કરતાં દ્રવ્ય વધારે વહાલું છે તેથી મારે શું કામ રહેવું જોઈએ' એમ અત્યંત ગર્વથી વિચાર કરીને તેના પ્રાણ તત્કાળ તેને તજી દીધો. તે મૃત્યુ પામીને પેલા નિધાનની ઉપર મોહવડે સર્પ થયો અને ત્યાં હંમેશાં રહેવા લાગ્યો. હવે પુત્ર પિતાને મારી વિલખો થઈને ચિંતવવા લાગ્યો કે “હું ખરેખરો પુણ્ય રહિત છું, કેમકે મેં પિતાને મારી નાખ્યો, તે છતાં મારુ વાંછિત તો થયું નહીં, અર્થાત્ દ્રવ્ય તો મળ્યું નહિ.” આ પ્રમાણે મનમાં ખેદ પામતો અને દુ:ખાગ્નિથી તપ્ત થયેલો તે શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની જેમ પોતાના આત્માને શોચવા લાગ્યો. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy