SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર તે નગરમાં સુંદર નામે એક વિખ્યાત શ્રેષ્ઠી રહેતો હતો. તેને મદનશ્રી નામે સ્ત્રી હતી અને સુરપ્રિય નામે પુત્ર હતો. તે પુત્ર સર્વદા પૂર્વકર્મના દોષથી પિતાને શત્રુની જેવો અનિષ્ટ હતો અને તે પિતા પણ પુત્રને તેવો જ અનિષ્ટ હતો, તેથી જયારે પિતા ઘરમાં આવતો ત્યારે પુત્ર બહાર તત્કાળ જતો રહેતો અને પુત્ર ઘરમાં આવતો ત્યારે પિતા બહાર જતો રહેતો હતો. એવી રીતે કલુષિત હૃદયવાળા પિતાપુત્રનો કાળ વ્યતીત થતો હતો, તેવામાં એક દિવસ પિતાએ પુત્રને કહ્યું કે “હે પુત્ર ! કોઈ દૈવયોગથી આપણા ઘરમાં દ્રવ્યનો નાશ થઈ ગયો છે, તેથી દ્રવ્ય મેળવવા માટે આપણે વિદેશ જઈએ. દ્રવ્ય વગરનો પુરુષ સારા વંશમાં જન્મ્યો હોય તો પણ લધુતાને પામે છે અને ગુણરહિત (પણછ વિનાના) ધનુષ્યની જેમ પરાભવનું સ્થાન થાય છે. દ્રવ્ય વિનાનો પુરુષ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગની સાધી શકતો નથી, તેમજ સુવિશુદ્ધ એવા જિનકથિત ધર્મને પણ આચરી શકતો નથી, માટે અભિમાનરૂપ ધનવાળા આપણે બંને અસાર અને અલ્પ મૂલ્યવાળું કાંઈ પણ કરિયાણું ઘરમાંથી લઈને અન્ય દેશમાં જઈએ, કારણ કે સાહસનું અવલંબન કરીને દેશાંતરમાં ગયેલો પુરુષ પ્રમાદ રહિત રહેતો પ્રાયે મનોવાંછિત લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે કહીને પછી કપટ નેહવાળા, વિનષ્ટ ચિત્તવાળા અને પ્રનષ્ટ સ્વભાવવાળા તે બંને કાંઈ પણ કરિયાણું લઈને પોતાના ઘરમાંથી નીકળ્યા. નગરની બહાર એક ઉદ્યાનમાં તેઓ આવ્યા ત્યાં વડવૃક્ષના મૂળમાં પૃથ્વી પર રહેલો એક પુયાડનો અંકુરો તે બન્નેના જોવામાં આવ્યો, એટલે સમકાળે તે બન્નેએ હૃદયમાં ચિંતવ્યું કે “આની નીચે જરૂર દ્રવ્ય હશે.” શાસ્ત્રમાં કહ્યું છે કે “પુયાડની નીચે પ્રાયે દ્રવ્ય હોય છે. પછી તે નિધાન ઉપર આસક્ત અને એક બીજાને છેતરવામાં તત્પર એવા તે બને કહેવા લાગ્યા કે આજનો દિવસ શુભ જણાતો નથી, માટે જ્યારે શુભ દિવસ આવશે ત્યારે આપણે અહીંથી દ્રવ્ય કાઢશું.' આ પ્રમાણે નિશ્ચય કરીને “અપશુકન થયા માટે પાછા આવ્યા” એમ કહેતા તે બંને પોતાને ઘેર પાછા ગયા, પરંતુ દુષ્ટ સ્ત્રીવાળા પુરુષની જેમ તે બંનેના નેત્રમાં નિદ્રા આવી નહીં. દ્રવ્યમાં લુબ્ધ ૧. ધોળો આકડો. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy