SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કલશપૂજાવિષે વિપ્રસુતાની કથા ૧૮૧ દીધો અને બોલી કે– સ્વામી ! હું મૂઢ અજ્ઞાની છું તેથી તમારી સ્તવના કરી જાણતી નથી પણ તમને જળપૂર્ણ કળશ ચડાવવાથી જે પુણ્ય થતું હોય તે મને થજો.' આ બધો વૃત્તાંત બીજી સ્ત્રીઓએ જઈને સોમશ્રીની સાસુને કહ્યો, તેમાં જણાવ્યું કે “તમારી વહુએ જળનો ઘડો જિનમંદિરમાં ચડાવ્યો છે.' એવાં વચનો સાંભળી તેની સાસુ સોમા અગ્નિની જેમ ક્રોધથી પ્રજવલિત થઈને બોલી કે જ્યારે જિનને જળનો ઘડો ચડાવ્યો ત્યારે તેણે પોતાનું માથું કેમ ચડાવ્યું નહીં?” પુનઃ રોષથી બોલી કે-“એ દુષ્ટાને હવે મારા ઘરમાં પેસવા જ દઉં નહીં.” આમ કહી હાથમાં લાકડી લઈને તે ગૃહના દ્વાર આગળ ઊભી રહી. એટલામાં સોમશ્રી ત્યાં આવીને પોતાના ઘરમાં પેસવા લાગી, એટલે સોમાએ તેને અંદર જતી અટકાવી કહ્યું કે “હે દુષ્ટ ! ઘડા વગર તું મારા ઘરમાં જ પેસીશ નહીં. અરે મૂર્ખ ! હજુ સુધી પિતૃઓનું તર્પણ કર્યું નથી, અગ્નિને તૃપ્ત કર્યો નથી અને વિપ્રોને કાંઈ કીધું નથી, ત્યાર અગાઉ તે જળનો ઘડો જિનગૃહમાં કેમ આપી દીધો ? આ પ્રમાણેનાં કોપાયમાન સાસુનાં વચનો સાંભળીને સોમશી રોતી રોતી કુંભારને ઘેર ગઈ; અને કુંભારને કહ્યું કે-“હે બાંધવ ! મારા હાથમાંથી કંકણ લઈને તું મને એક ઘડો આપ.” કુંભાર બોલ્યોકે–“ભગિની ! તું રુદન કરતી કરતી ઘડો કેમ માગે છે ?” પછી તેણીએ પોતાનો સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યો; એટલે કુંભકાર બોલ્યો-“બેન ! તને ધન્ય છે કે તે જિનેશ્વરભગવંતનની સમીપે ઘડો અર્પણ કર્યો છે, તેથી તે મનુષ્યજન્મનું ફળ અને મોક્ષસુખનું બીજ પ્રાપ્ત કર્યું છે.” આ પ્રમાણે અનુમોદના કરવાથી તે કુંભારે પણ શુભ ફળવાળું કર્મ બાંધ્યું; કારણ કે ધર્મકાર્યની અનુમોદના કરવાથી પણ જીવ ભવસાગરને તરી જાય છે. પછી કુંભકારે કહ્યું કે જો એમ છે તો આ બીજો ઘડો લઈ જા. મનમાં ખેદ કર નહીં. વળી બેનના હાથમાંથી કંકણ લેવું તે ભાઈને ઘટે નહીં. પછી સોમશ્રીએ ત્યાંથી એક ઘડો લઈ ઉત્તમ જળવડે ભરી પોતાની સાસુને આપ્યો; એટલે તે પણ પોતાના સ્વભાવમાં આવી. તે ઘડો લીધા પછી સોમાને જો કે પોતે કહેલાં વચનો માટે પશ્ચાત્તાપ થયો, તથાપિ તેણીએ જિનેશ્વર ઉપર દ્વેષ કરવાથી એક ભવમાં ભોગવવા યોગ્ય કર્મ બાંધ્યું. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy