SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પેલો કુંભકાર મૃત્યુ પામીને જિનેશ્વરભગવંતની જળપૂજાની અનુમોદના કરવાના ફળવડે કુંભપુર નગરમાં શ્રીધર નામે રાજા થયો. તે શ્રીદેવી નામે રાણીની સાથે સુખે રહેતો હતો, અને જેના ચરણકમળને પ્રણામ કરતા એવા મંડલેશ્વરના મુગટો તેના પગ સાથે ઘસાતા હતા, એવી રાજ્યલક્ષ્મીને તે ભોગવતો હતો. સોમશ્રી મૃત્યુ પામીને પ્રભુની જળપૂજા કરવાના પ્રભાવથી તે શ્રીધર રાજાની રાણી શ્રીદેવીના ગર્ભમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે ગર્ભમાં આવતાં તેની માતાને એવો ઉત્તમ દોહદ ઉત્પન્ન થયો કે “હું જળના કળશ ભરી જિનેશ્વરભગવંતને હવરાવું.” પછી તેણે સુવર્ણના કળશમાં જળ ભરી તે વડે ભક્તિથી પ્રભુને શ્વવરાવ્યા. તેથી તેણીનો દોહદ સંપૂર્ણ થયો. તે સમયે તેણીએ ઉત્તમ લક્ષણવાળી પુત્રીને જન્મ આપ્યો. અનુક્રમે એ બાળા યૌવન વયને પ્રાપ્ત થઈ. દેવી જેવી પરમ સ્વરૂપવતી એ રાજકુમારી પોતાને ઘરે બંધુજનને વલ્લભ થતી ઇચ્છિત સુખને ભોગવવા લાગી. અન્યદા કોઈ ચતુર્દાની મુનિવર કુંભપુરના ઉદ્યાનમાં પધાર્યા. તેમની સાથે ઘણા મુનિઓનો પરિવાર હતો, અને તેમનું નામ વિજયસેનસૂરી હતું. મુનીન્દ્રને આવ્યા જાણી રાજા પોતાની પુત્રી સાથે તેમને વંદના કરવા માટે ગયો, અને વાહન વિગેરે દૂર મૂકી પુત્રી સહિત રાજાએ ત્રણ પ્રદક્ષિણા દઈને ગુરુને વંદના કરી. પછી ભક્તિના ભરપૂરપણાથી બીજા મુનિઓને પણ નમીને રાજા ગુરુમહારાજના ચરણ પાસે ધર્મ સાંભળવા સાવધાન થઈને બેઠો. તેવામાં રાજાએ એક સ્ત્રી દીઠી કે જેનું શરીર ધૂલિથી ધૂસરું થયેલું હતું, મળથી મલિન હતું, સેંકડો બાળકો તેની ફરતા ફરી વળેલાં હતાં અને તેના મસ્તક ઉપર ઘડાના આકારનો એક માંસપિંડ નીકળેલો હતો. એ પ્રમાણે પીડા પામતી તે સ્ત્રી ગુરુમહારાજના ચરણ સમીપે આવી. તેને જોઈ રાજાએ ગુરુને પૂછ્યું કે “હે ભગવન્! આવા દુઃખી શરીરવાળી આ સ્ત્રી કોણ છે કે જે પ્રત્યક્ષ રાક્ષસી હોય તેવી ભયજનક દેખાય છે ?' મુનિ બોલ્યા- “હે રાજન્ ! તારા નગરમાં રહેનારા વેણુદત્ત નામના દરિદ્રી ગૃહસ્થની આ પુત્રી છે. આ પુત્રીનો જન્મ થતાં જ તેના માતા પિતા કાળધર્મને પામ્યા છે; અને ઘણી દુઃખી સ્થિતિ છતાં દૈવયોગે તે જીવવા પામી છે.' મુનિમહારાજનાં આવાં વચન સાંભળી રાજાએ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy