SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ફળપૂજવિષે દુર્ગતાસ્ત્રી-કીરયુગલની કથા ૧૭૭ હે મહાયશ ! ચિત્રપટમાં શુકપક્ષીનું જોડું ચીતરી તે ચિહ્ન સાથે રાખીને તું તે સ્વયંવરમાં જા . તે પક્ષીનું યુગળ જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થશે અને તેથી સંતુષ્ટ થઈને તે તને વરમાળા પહેરાવશે. તેમાં જરાપણ સંદેહ લાવીશ નહીં.” આ પ્રમાણે પૂર્વ જન્મના સંબંધ સહિત બધી વાત કહી; અને કુમારે તે વાત કબૂલ કરી એટલે તે દેવ પોતાના સ્થાનકે ગયો. પછી કુમાર દેવના કહેવા પ્રમાણે ચિત્ર તૈયાર કરીને ચંદ્રલેખાના સ્વયંવરમાં ગયો. ત્યાં તે ચિત્ર સાથે રાખેલા રાજકુમારને તે રાજકન્યાએ જોયો. ચિત્રની અંદર શુકપક્ષીનું જોડું જોતાં જ તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે ચિંતવ્યું કે “આ કુમાર તે શુકપક્ષીનો જીવ જણાય છે અને શુકીનો જીવ તે હું છું.” કુંવરી આમ વિચારે છે તેવામાં તેના પિતાએ તેને પૂછ્યું કે “હે પુત્રી ! તું નિશ્ચલ દૃષ્ટિથી વારંવાર તું ચિત્રિત શુકપક્ષીના જોડાને કેમ જુએ છે?' કન્યા બોલી “પિતાજી ! હું પૂર્વભવે શુકી હતી અને આ કુમાર શુકપક્ષી હતો. તે ભવમાં જિનેશ્વરભગવંતની પાસે ફળ ધરવાથી અમે બંને મનુષ્યપણાને પ્રાપ્ત થયા છીએ.” આ પ્રમાણે કહીને જન્માંતરના સ્નેહથી પ્રતિબદ્ધ એવી રાજકુમારીએ તત્કાળ ફળસાર કુમારના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે સમયે સર્વ લોકોએ રાજાને અભિનંદન આપ્યું કે “આ રાજપુત્રી યોગ્ય વરને વરી છે.” તે ફળસાર કુમાર અને રાજકુમારીનો સમાગમ અરસપરસ એવો આનંદકારી થયો કે જે દેવલોકમાં દેવતાઓને પણ દુર્લભ હોય છે. પછી અતિ સ્નેહથી ભરપૂર અને અત્યંત હર્ષથી યુક્ત એવા તે બંનેનો પાણિગ્રહણ મહોત્સવ સર્વ રાજાઓની સમક્ષ કરવામાં આવ્યો. શશિલેખાના પિતાએ વિવિધ પ્રકારનાં શ્રેષ્ઠ વસ્ત્ર તથા આભૂષણો વડે સન્માન કરીને સર્વ રાજાઓને વિદાય કર્યા. પછી ફળસાર કુમારને પણ પોતાની પુત્રી સહિત ઘણું સન્માન કરીને રજા આપી. એટલે તેઓ સુખશાંતિપૂર્વક પોતાને નગરે પહોંચ્યા. ચંદ્રલેખા સાથે વિષયસુખનો અનુભવ કરતાં તે સુખમગ્ન ફલસારને દિવસની જેમ વર્ષો વીતી જવા લાગ્યા. તે જે જે મનમાં ચિંતવતા હતા તે તે પૂર્વભવે કરેલી ભગવંતની ફળપૂજાના પ્રભાવથી તેમને પ્રાપ્ત થતું હતું. એક વખતે ઇંદ્ર દેવતાની સભા વચ્ચે કહ્યું કે “પૃથ્વીમાં ફલસાર કુમારને મનચિંતિત Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy