SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર વસ્તુ સુલભરીતે પ્રાપ્ત થાય છે.’ આ વાત ઉપર શ્રદ્ધા ન આવવાથી કોઈ એક દેવતા સર્પનું રૂપ લઈ ત્યાં આવ્યો અને તેણે ફલસારકુમારની સ્ત્રીને ડંશ કર્યો. તે જોઈ સર્વ રાજલોક આકુળવ્યાકુળ થઈ ગયો, અને સર્પનું વિષ ઉતારવા માટે અનેક મંત્રકુશળ ગારુડીઓને બોલાવવામાં આવ્યા. બહુ પ્રકારના વૈદ્યોએ અને ગારુડીઓએ મંત્ર તંત્રના અનેક પ્રયોગો કર્યા, પણ તેની કાંઈ અસર ન થતાં તે નિર્જીવની જેમ નિશ્ચેષ્ટ થઈ પડી રહી. તેવામાં પેલો ઉત્તમ વૈદ્ય બનીને ત્યાં આવ્યો. તેણે કહ્યું કે ‘હે કુમાર ! જો દેવવૃક્ષની મંજરી હોય તો હું તારી સ્ત્રીને જીવાડું. ‘પોતાની સ્ત્રીને પ્રાપ્ત થયેલા ભારે દુઃખથી જેનું મન દુઃખિત છે એવો કુમાર દેવવૃક્ષની મંજરી શી રીતે મળે એવો વિચાર કરે છે તેવામાં પેલા દુર્ગતદેવે તેના હાથમાં દેવવૃક્ષની મંજરી મૂકી; એટલે તત્કાલ પેલો દેવ વૈદ્યનું રૂપ મૂકીને ગજેન્દ્રરૂપે થયો. ત્યાં તેણે કુમારને સિંહરૂપે જોયો; એટલે તે ગજેન્દ્રનું રૂપ મૂકીને સિંહરૂપે થયો, ત્યાં કુમારને તેણે શરભરૂપે જોયો; એટલે પોતાની માયાને સંહરી લઈને તે દેવ તુષ્ટમાન થઈ ગયો, અને બોલ્યો કે—‘જો તમે સંતુષ્ટ થયા હો તો આ મારું નગર દેવતાના નગર જેવું કરી આપો.’ આ પ્રમાણે કહેતાં જ સુવર્ણ મણિ અને રત્નમય જેનો કિલ્લો છે અને દેવભુવનવડે જે વિભૂષિત છે એવી તે નગરી દેવતાએ કરી દીધી. પછી એવી અતિ સુશોભિત નગરીનો કુમારને સ્વામી ઠરાવી તે દેવ પોતાને સ્થાનકે ગયો. ફલસારકુમારને તે નગરી તેમજ નવીન પ્રિયાને ધારણ કરતાં એટલો બધો સંતોષ થયો કે જે તેના અંગમાં પણ સમાયો નહીં. પછી સૂરરાજાએ પણ પોતાના રાજ્ય ઉપર કુમારનો અભિષેક કરીને શીલંધરસૂરિની પાસે દીક્ષા લીધી. કંચનપુર નગરમાં ચંદ્રલેખા સહિત ફલસારકુમારના દિવસો શચિ સહિત ઇંદ્રની જેમ સુખે સુખે વ્યતીત થવા લાગ્યા. કાળક્રમે ફલસારરાજાને શશિલેખાની કુક્ષિથી ચંદ્રસાર નામે પુત્ર થયો. ચંદ્રની જેમ બંધવરૂપ કુમુદને આનંદ કરનાર અને કલાકલાપથી યુક્ત એવો તે ચંદ્રસારકુમાર અનુક્રમે બાલ્યવય છોડી રમણીય નવયૌવનને પ્રાપ્ત થયો. ફલસાર રાજા પોતાની પ્રિયા સાથે શુદ્ધ ભક્તિવડે જિનેશ્વરભગવંતની ફલપૂજા કરવામાં નિરંતર ઉજમાળ રહેવા લાગ્યો. યૌવનવય વ્યતીત થયા પછી ધીર એવા ફલસાર રાજાએ Jain Education International_2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy