SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર પૂરો કરું. પૂર્વભવના અભ્યાસથી તે શુકના જીવને આમ્રફળનો અભિલાષા થયો છે અને તેને લીધે તેની માતાને પણ આમ્રફળનો દોહદ થયો છે, માટે તત્કાળ સાર્થવાહનો વેશ લઈ ત્યાં જઈ આમ્રફળનો એક ટોપલો તેને અર્પણ કરું કે જે તેને દુઃખસમુદ્રથી પાર ઉતારનાર થાય.” આ પ્રમાણે ચિંતવીને તે દેવ સાર્થવાહનો વેશ લઈ ત્યાં આવ્યો અને આમ્રફળનો ટોપલો ભરીને તેણે રાજાની આગળ ભેટ ધર્યો. રાજાએ તેને પૂછ્યું કે “હે ભદ્ર ! તમે અકાળે આમ્રફળ કયાંથી મેળવ્યા?” તે બોલ્યો– હે રાજન્ ! આ રત્નાદેવીના ગર્ભમાં જે પુત્ર આવેલ છે તેના પુણ્યથી મને આ આમ્રફળ પ્રાપ્ત થયા છે.” આટલું કહી તે દેવ અંતર્ધાન થઈ ગયો. રાજા મનમાં આનંદ પામી વિચાર કરવા લાગ્યો કે “આ કોઈ પુત્રનો જન્માંતરનો સંબંધી દેવતા હશે.” તે પછી દેવતાએ નિર્માણ કરેલા આમ્રફળથી જેનો દોહદ સંપૂર્ણ થયો છે એવી રત્નાદેવીએ સુકુમાર અને સુલક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મની વધામણીથી સંતુષ્ટ થયેલો રાજા જિનેશ્વર તથા ગુરુજનની પૂજા કરવા લાગ્યો અને દીનજનને દાન આપવા લાગ્યો. પછી શુભ નક્ષત્ર શ્રેષ્ઠ વાર અને શુભ દિવસે ગુરુજને તેનું ફલસાર એવું નામ પાડ્યું. સૌભાગ્ય તથા રૂપથી યુક્ત એવા યૌવન વયની કાંતિને પ્રાપ્ત થયેલા તે કુમારને જોઈ કામદેવે પણ પોતાના રૂપનો ગર્વ છોડ દીધો.. એક દિવસ પેલા દુર્ગતદેવે રાત્રીના પાછલે પહોરે રાજપુત્ર પાસે આવીને કહ્યું કે હે કુમાર ! તેં જે પૂર્વ ભવે સુકૃત કર્યું હતું તે સાંભળ. પૂર્વ ભવે શુકપણામાં પ્રિયાની સાથે તે જિનેશ્વરભગવંતની આગળ આમ્રફળ ધર્યું હતું, તેથી તને આ ઉત્તમ મનુષ્યપણું અને આવી ઋદ્ધિ પ્રાપ્ત થયેલ છે. શુકપક્ષીના ભવમાં જે તારી સ્ત્રી હતી તે મરણ પામીને જિનેન્દ્રચંદ્રની પાસે ફળ અર્પણ કરવાથી રાયપુર નગરના રાજાને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થઈ છે. વળી હે કુમાર ! પૂર્વ ભવમાં તે આપેલું આમ્રફળ પ્રભુની પાસે અર્પણ કરવાથી મને આવી દેવતાની સમૃદ્ધિ પ્રાપ્ત થવારૂપ ફળ મળ્યું છે. તું ગર્ભમાં હતો ત્યારે તારી માતાને અકાળે આમ્રફળ ખાવાનો દોહદ થયો હતો, તેને તે ફળ આપીને મેં પૂર્ણ કર્યો હતો. જે તારા પૂર્વભવની સ્ત્રી હતી તે રાયપુરના રાજા સમરકેતુને ઘેર ચંદ્રલેખા નામે પુત્રી થઈ છે. તેનો હાલ સ્વયંવર થાય છે. માટે Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy