SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ફળપૂજાવિષે દુર્ગતાસ્ત્રી-કીરયુગલની કથા ૧૭પ શુકપક્ષીએ પૂછ્યું કે “તું તેને શું કરીશ?” સ્ત્રીએ કહ્યું કે હું પ્રભુને અર્પણ કરીશ.” પક્ષી બોલ્યો કે–“જિનેશ્વરને ફળ અર્પણ કરવાથી શું પુણ્ય થાય તે કહે, તો હું તને એક આમ્રફળ આપું.” સ્ત્રી બોલી–“જે પ્રાણી ઉત્તમ વૃક્ષનાં ફળ પ્રભુની આગળ ધરે તેના મનોરથ જન્માંતરમાં પણ સફળ થાય છે. તે પ્રમાણેનું જિનેશ્વરના મુખકમળમાંથી નીકળેલું વચન ગુરુમહારાજની પાસેથી મેં સાંભળ્યું છે, તેથી મને એક આમ્રફળ આપ તો હું પ્રભુની આગળ ધરું.” આ પ્રમાણે સાંભળીને સુડીએ શુકને કહ્યું કે “સ્વામી ! એને એક ફળ આપીએ અને આપણે પણ જિનેશ્વરભગવંતની આગળ એક આમ્રફળ મૂકીએ.” પછી શુકપક્ષીએ એક આમ્રફળ તે સ્ત્રીની આગળ નાખ્યું એટલે તે સ્ત્રીએ તે લઈને પરમ ભક્તિથી પ્રભુની આગળ ધર્યું. તે પછી તે શુકપક્ષીનું જોડું પણ સંતુષ્ટ ચિત્તે ચાંચમાં આમ્રફળ લઈને પરમ ભક્તિવડે પ્રભુની આગળ આવ્યું અને તે ફળ પ્રભુ પાસે મૂકીને આ પ્રમાણે બોલ્યું કે “હે નાથ ! અમે તમારી સ્તુતિ કરી જાણતા નથી; પણ તમારી પાસે ફળ અર્પણ કરવાથી જે ફળ થતું હોય તે અમને થાઓ.” - હવે શુદ્ધ પરિણામવાળી પેલી ગરીબ સ્ત્રી આયુષ્યનો ક્ષય થવાથી મૃત્યુ પામીને જિનેશ્વરભગવંતની પાસે ફળ ધરવાના પુણ્યથી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ અને પેલો શુકપક્ષી મૃત્યુ પામીને ગંધિલાનગરીના સૂર નામે રાજાને ઘેર રત્નાદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. શુકનો જીવ ગર્ભમાં આવતાં પોતાની રાણીનું શરીર દુર્બળ જોઈ રાજાએ પૂછ્યું કે “દેવી ! તમને જે દોહદ થયો હોય તે કહો.” દેવી બોલી “સ્વામી ! મને અકાળે આમ્રફળ ખાવાનો દોહદ ઉત્પન્ન થયો છે, તે તમે કેવી રીતે પૂર્ણ કરશો ?' પોતાની દયિતાના મુખમાંથી નીકળેલું આવું વચન સાંભળી ચિંતા તથા દુ:ખના સમુદ્રમાં પડેલો રાજા વિચારવા લાગ્યો કે-“આવો અકાળે થયેલો દોહદ શી રીતે પૂરવો? અને જો નહીં પૂરું તો અવશ્ય આ સ્ત્રી મૃત્યુ પામશે તેમાં બીલકુલ સંદેહ નથી.” આ તરફ પેલી દરિદ્ર સ્ત્રી કે જે દેવ થઈ છે તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે પેલા શુકપક્ષીનો જીવ રત્નાદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે, તેણે પૂર્વ ભવે ફળ આપીને મારા પર ઉપકાર કર્યા છે માટે હું ત્યાં જઈને તેનો મનોરથ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy