SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર દેવતાએ તે વાત સ્વીકારી અને તત્કાળ તે નગરી સુવર્ણ, મણિ અને રત્નોથી રચેલા કિલ્લાવાળી તેમજ દેવપુરી જેવી બનાવી દીધી. તે ઉત્તમ નગરીમાં ઇંદ્રાણી સાથે ઇંદ્રની જેમ હલિકરાજા વિષ્ણુશ્રીની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો. આ પ્રમાણે શ્રીજિનેશ્વરભગવંતની પાસે નૈવેદ્ય ધરવાથી તે ખેડૂતે આ લોકમાં જ સ્ત્રી સહિત મનોવાંછિત સુખ અને રાજ્ય પ્રાપ્ત કર્યું. શ્રીજિનેશ્વર ભગવંતને નૈવેદ્ય ધરવાનું આવું ઉત્તમ ફળ પ્રાપ્ત થવાથી તે હલિકરાજા બંને સ્ત્રીઓ સહિત ભક્તિયુક્ત થઈ પ્રતિદિવસ પ્રભુની આગળ નૈવેદ્ય ધરવા લાગ્યો અને જન્માંતરે મેળવેલા પુણ્યશાળી દેવતા સ્વર્ગમાં સુખભોગ ભોગવે તેમ તે નગરીમાં સુખે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. હવે પેલો દેવ સંબંધી આયુષ્યનો ક્ષય થવાથી દેવલોકમાંથી આવીને દૈવયોગે વિષ્ણુશ્રીના ગર્ભમાં જ પુત્રપણે ઉત્પન્ન થયો. જન્મ થતાં તેનું કુમુદ એવું નામ પાડ્યું. અનુક્રમે યૌવનવય પામ્યો અને સર્વ કળાઓ શીખ્યો. પૂર્વ જન્મના સુકૃત્યોથી તે રાજાને ઘણો પ્રિય થઈ પડ્યો. પછી હલિકરાજા તેને રાજ્ય આપી પોતે પરમ શ્રાવકપણું પાળી જિનેશ્વરભગવંતની પાસે નૈવેદ્ય ધરવાના ફળથી પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં પોતાની સમૃદ્ધિ જોઈને અને દેવતાઓનો જયજય શબ્દ સાંભળીને તે સંતુષ્ટ ચિત્તે ચિંતવવા લાગ્યો કે ‘મેં પૂર્વભવે શું સુકૃત્ય કર્યું છે કે જેના પ્રસાદથી આવી અતિ મનોજ્ઞ દેવતાની સમૃદ્ધિ અને મનોવાંછિત અપ્સરાઓ મને પ્રાપ્ત થઈ ?’ આ પ્રમાણે વિચારી અવધિજ્ઞાન વડે જોતાં તેને માલુમ પડ્યું કે આ બધું શ્રીજિનેશ્વરભગવંતની પાસે નૈવેદ્ય ધરવાનું ફળ છે. પછી પોતાના પૂર્વભવને વિશેષપણે જાણીને હલિદેવ પ્રતિ દિવસ પોતાના પુત્રને પ્રતિબોધ આપવા માટે ત્યાં જવા લાગ્યો અને રાત્રીના પાછલા પહોરે મધુરવાણીથી કહેવા લાગ્યો કે “હે રાજા ! તું એક ચિત્તે મારું વચન સાંભળ-જન્માંતરે શ્રીજિનેશ્વરભગવંતની પાસે ભક્તિથી મેં નૈવેદ્ય ધરેલ તેથી હે વત્સ ! મને આવી માન્ દેવસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને હે મહાશય ! તારા પસાયથી મને જૈનધર્મ પણ પ્રાપ્ત થયેલ છે, માટે હવે તું પણ જૈનધર્મનું આરાધન કર.” આ પ્રમાણે વચનો સાંભળી કુમુદરાજા મનમાં વિસ્મય પામી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy