SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા ૧૭૩ ચિંતવવા લાગ્યો કે “મારી આગળ હંમેશાં એવાં વચનો કહીને પાછું અંતર્ધાન થઈ જાય છે તે કોણ હશે !” એક દિવસ તેવાં વચન સાંભળી કુમુદરાજાએ કહ્યું કે “તમે કોણ છો કે જે નિત્ય મારી આગળ આવી મને આ વચનો કહીને પાછા ચાલ્યા જાઓ છો ? તે વિષે મને કૌતુક છે.” દેવતાએ કહ્યું – “હું તારા પૂર્વ જન્મનો પિતા છું. શ્રીજિનેશ્વરભગવંત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી હું દેવવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો છું. તારા સ્નેહમાં બંધાઈ તને પ્રતિબોધ આપવાને માટે હું દરરોજ અહીં આવું છું, માટે હે રાજા તું પણ જૈનધર્મમાં આદર કર.” તે સાંભળી રાજા બોલ્યો કે–“તમે મને પ્રતિબોધ કર્યો તે ઘણું સારું કર્યું. શ્રીજિનેશ્વરકથિત ધર્મ આજથી મને પણ શરણભૂત થાઓ.” આ પ્રમાણે પુત્રને પ્રતિબોધ પમાડી જૈનધર્મમાં જોડી દઈને તે હલિદેવ પોતાના દેવલોકમાં ગયો અને ત્યાં મનોવાંછિત સુખ ભોગવવા લાગ્યો. શ્રીજિનેશ્વરભગવંત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી દેવ તથા મનુષ્યના સુખ ભોગવી સાતમે ભવે તે હલિક શાશ્વત સ્થાનને પ્રાપ્ત થશે. આ પ્રમાણે ભવ્ય જીવોના બોધને અર્થે શ્રીજિનેશ્વર ભગવંત પાસે નૈવેદ્ય ધરવાનું ફળ કહેલું છે, જે નૈવેદ્ય પૂજામાં ઉદ્યમ કરવાથી પ્રાણીને અવશ્ય મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. નૈવેદ્યપૂજા વિષે હલીપુરુષની કથા સંપૂર્ણ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy