SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રીવિજયચંદ્રવળીચરિત્ર ગ્રહથી પ્રહાયેલી છે ? અથવા શું મૂર્ણ છે કે જે ઉત્તમ રાજાઓને મૂકીને એક હીનજાતિના ખેડૂતને વરી.” પછી સર્વ રાજાઓ સૂરસેન ઉપર કોપાયમાન થઈને કહેવા લાગ્યા કે-“જો આ કન્યાને એક હાલિક જ ઇષ્ટ હતો તો બધા રાજાઓને એકઠા શા માટે કર્યા હતા? માટે આપણે સૂરસેન રાજા સહિત એ ખેડૂતને હણીને કન્યા લઈ લ્યો.' તે સાંભળી કોઈ રાજા બોલ્યો કે– તેણે તો સ્વયંવર રચ્યો હતો, તેમાં કન્યાએ તેનો મનોવાંછિત વર વરી લીધો તેમાં રાજાનો શો ઉપાય ?' એટલે ચંડસિંહ નામનો રાજા બોલ્યો કે–“એ કન્યા મૂઢ બુદ્ધિથી ખેડૂતને વરી છે, કાંઈ તેના પિતાના વચનથી વરી નથી; માટે આપણે સૂરસેન રાજાને સમજાવવાને દૂત મોકલીએ.” ચંડસિહના કહેવાથી બધા મળીને સૂરસેન રાજા પાસે દૂત મોકલ્યો. તે તત્કાળ તેની પાસે જઈ સંદેશો લઈને પાછો આવ્યો. દુતે બધા રાજાઓને કહ્યું કે હું તમારા વચનથી ત્યાં ગયો અને મેં સૂરસેન રાજાને કહ્યું કે તમારી કન્યાએ અજ્ઞાનપણે મૂઢ બુદ્ધિથી આ ખેડૂત વરેલો છે; માટે એ પસંદગી રદ કરીને ફરીવાર માત્ર રાજાઓનો સ્વયંવર મેળવો અને તેમનું સન્માન કરો.' આ પ્રમાણે મેં કહ્યું એટલે સૂરસેન રાજા બોલ્યા કે “આમાં કાંઈ મારો દોષ નથી, સ્વયંવરમાં તો કન્યા જેને વરે તે પ્રમાણે થાય છે.' દૂતનાં આવાં વચન સાંભળી સર્વ રાજાઓ કોપાયમાન થઈને બોલ્યા કે “આ ખેડૂતને મારીને રાજકુમારીને પકડી લ્યો, અને જે કોઈ તેનો પક્ષ કરે તેને પણ હણી નાખો.” આ પ્રમાણે મુકરર કરીને તેઓએ ખેડૂતને કહ્યું કે “અરે ! તું આ કુમારીને છોડી દે.' તે સાંભળીને દેવતાએ જેનું સાંનિધ્ય કરેલું છે એવો તે ખેડૂત કોપાયમાન થઈને બોલ્યો કે–“અરે મૂર્મો ! એમ બોલતાં તમારી જીભ શતખંડ કેમ થતી નથી ? જો કે તમે ઘણા છો, પરંતુ મને તમે સંગ્રામમાં શું કરી શકવાના છો? કેમકે એકલા સિંહને પણ સેંકડો શિયાળ શું કરી શકે છે ?' તે સાંભળી કોપાગ્નિથી પ્રજવલિત થયેલો ચંડસિંહ પોતાના સુભટો પ્રત્યે બોલ્યો કે–“અરે સુભટો ! આ દુષ્ટને હણી નાખો અને તેની જીભને મૂળમાંથી તોડી લ્યો.' તેનાં વચનથી તે પુરુષો જેવા તે ખેડૂત ઉપર પ્રહાર કરવા લાગ્યા તેવો તે ખેડૂત પ્રજવલિત હળ લઈને ઊભો થયો. તેને જોતાં જ તે પુરુષો નાસીને પોતાના સ્વામીને શરણે આવ્યા. તે જોઈ તેનો સ્વામી ચંડસિંહ પણ વિચારમાં પડ્યો કે શું આ પુરુષ તે કોઈ દેવતા હશે ? પછી સર્વ રાજાઓની સાથે માંચા મૂકીને તે પણ ખેડૂત તરફ ચાલ્યો, અને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy