SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા ૧૬૯ મનને ઇચ્છિત હોય તે વર માગી લે. હું તને જે માગીશ તે સર્વ આપીશ.” ખેડૂત બોલ્યો-“હે દેવ ! જો તું મારી ઉપર સંતુષ્ટ થયો હો અને વર આપવા ઇચ્છતા હો તો મને એવો વર આપ કે જેથી મને અર્થની પ્રાપ્તિ થાય અને મારું દારિદ્ર નાશ પામે.” દેવ તથાસ્તુ' એમ કહી પોતાને સ્થાનકે ગયો. ખેડૂતે આ સર્વ વૃત્તાંત પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો. તે સાંભળી તેની સ્ત્રીએ કહ્યું કે “જેની જૈનમત ઉપર ભક્તિ હોય છે તેને ધન્ય છે કે જે ભક્તિથી સંતુષ્ટ થઈને દેવતાએ તમને વર આપ્યો છે.” આ પ્રમાણે ભાવશુદ્ધિથી અનુમોદના કરતી તે સ્ત્રીએ પણ પુણ્ય ઉપાર્જન કર્યું, કારણ કે અનુમોદના કરવાથી પણ આ જીવ સંસારરૂપ પાંજરાને તોડી નાખે છે. અહિં ક્ષેમપુરીમાં સૂરસેનરાજાને વિષ્ણુશ્રી નામે પુત્રી થઈ છે તે જાણે પ્રત્યક્ષ વિષ્ણુની લક્ષ્મી હોય તેવી જણાય છે. એ કન્યાને યોગ્ય એવો ભવ્ય વર નહીં મળવાથી અન્યદા રાજાએ સર્વ રાજાઓને એકઠા કરીને સ્વયંવર કર્યો. તે નિમિત્તે નગરીની બહાર ઉદ્યાનમાં સુવર્ણ અને મણિમય પગથીઆવાળો અને દેવવિમાન જેવો રમણીય મંડપ રચાવીને તેમાં સુશોભિત માંચા નખાવ્યા. તે માંચાઓની ઉપર વિમાન ઉપર અસુરો બેસે તેમ અનેક રાજાઓ શૃંગાર કરી આવીને બેઠા. પછી તેઓના સમૂહ વચ્ચે શ્વેત ચામર અને છત્રવાળી તથા શ્વેત વસ્ત્ર, વિલેપન અને આભૂષણની શોભા ધરનારી રાજકન્યા પોતાના કુળરૂપ કમળમાં જાણે રાજહંસી હોય તેવી દેખાતી સતી આવી. તે રાજપુત્રીની આગળ દેવતાઓને બોલાવવાને માટે જાણે દૂત હોય તેવા ઉત્તમ ઢોલ, શંખ અને માદલ વિગેરે વાજિત્રોના શબ્દો વાગી રહ્યા હતા. તે સાંભળીને પેલા ખેડૂતના મનમાં કૌતુક જોવાની ઇચ્છા થવાથી તે હળ ઉપર આરૂઢ થઈને ત્યાં આવ્યો, અને સંતુષ્ટ ચિત્તે સ્વયંવર જોવા લાગ્યો. પછી પ્રતિહારીએ અનુક્રમે સર્વ રાજાઓને ઓળખાવ્યા; પરંતુ તે સર્વને તજીને રાજકન્યા જેની દેવતા સાંનિધ્ય કરે છે એવા તે ખેડૂતને વરી. રાજકન્યાને ખેડૂતને વરેલી જોઈ કન્યાના માતાપિતા તથા બંધુઓ જાણે વજથી તાડિત થયા હોય તેમ લજ્જાથી નીચું મુખ કરીને રહ્યા અને આવેલા રાજાઓ વિલખા થઈ ક્રોધે ભરાયા સતા પરસ્પર કહેવા લાગ્યા કે “અરે ! આપણને રાજાઓને મૂકીને આ કન્યા એક ખેડૂતને વરી તે તેણે ઘણું અઘટિત કર્યું છે. અરે ! શું આ કન્યા કોઈ નઠારા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy