SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા જે પ્રાણી બહુ ભક્તિથી શ્રીજિનેન્દ્ર પ્રભુની આગળ નૈવેદ્ય ધરે છે, તે દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને ચક્રવર્તીપણાના ઉત્તમ ભોગ મેળવે છે. વળી જે પ્રાણી ભક્તિથી ભરપૂર મન વડે પ્રભુની આગળ નૈવેદ્ય ધરે છે, તે એક કુટુંબી (કણબી) પુરુષની જેમ દેવ, મનુષ્ય અને મોક્ષના સુખને મેળવે છે. આ ભરતક્ષેત્રના મધ્યખંડમાં ક્ષેમા નામે એક નગરી હતી. તે દેવતાની નગરીની જેમ દેવભુવનથી વિભૂષિત હતી. તે નગરીમાં શત્રુઓને સૂર્ય જેવો અને લોકોને ચંદ્ર જેવો તેજસ્વી સૂરસેન નામે રાજા રાજય કરતો હતો. પૂર્વે ધન્યા નામની નગરીમાં તે રાજાના વંશમાં ધીર અને સત્ત્વમાં પ્રખ્યાત એવો સિંહધ્વજ નામે રાજા થઈ ગયો. એક સમયે કોઈ એક મહર્ષિ તે નગરીમાં આવી ચઢ્યા; અને નગરીના પ્રવેશમાર્ગની અંદર નિયમ ગ્રહણ કરી ધ્યાનસ્થ થઈને ઊભા રહ્યા. તે મુનિ એવા દઢ નિયમવાળા હતા કે પોતાના નિયમથી તે કદિ પણ ચલાયમાન થતા નહીં. તે નગરીના નિર્દય લોકો પ્રવેશ કરતાં અને નીકળતાં અપશુકનની બુદ્ધિએ તે મુનિના મસ્તક ઉપર પ્રહાર કરવા લાગ્યા. પાપી અને પામર લોકો એ પ્રમાણે તેમના દેહ ઉપર કરતાં છતાં એ મહાત્મા મુનિ મંદરગિરિની જેમ ધ્યાનથી ચલિત થયા નહીં. આ પ્રમાણે તે નગરીના લોકોને નિર્દોષ મુનિને ઘોર ઉપસર્ગ કરતાં જોઈ તે અપરાધી લોકો ઉપર ત્યાંનો નગરવાસી દેવ કોપાયમાન થયો. તેવામાં તેવા ઘોર ઉપસર્ગને સહન કરનારા મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું; અને તત્કાળ તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પણ થયું. તે મહાત્મામુનિ ઉપશમરૂપ ચક્રવર્ડ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy