SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા ૧૬૭ કર્મરૂપી મહા શત્રુઓના સમૂહનો નાશ કરી શાશ્વત એવા પરમપદને પ્રાપ્ત થયા. પેલા કોપાયમાન થયેલા દેવતાએ નગરના લોકોને એવા ઉપસર્ગ કર્યાં કે જેથી તે બધું નગર જનસંચાર વગરનું ઉજ્જડ થઈ ગયું. પછી રાજાએ તેની વિધિપૂર્વક આરાધના કરી એટલે તે દેવ સંતુષ્ટ થયો અને તેણે રાજાને કહ્યું કે— ‘તમે અહીંથી દૂર બીજે સ્થળે નગર વસાવો, એટલે તમને ક્ષેમકુશળ થશે.’ તે દેવના કહેવાથી સૂરરાજાએ બીજે સ્થળે નગરી વસાવા તેમાં સર્વનું ક્ષેમ થવાથી તે નગરી ક્ષેમપુરી એવા નામથી વિખ્યાત થઈ. તે જ આ નગરી સમજવી. હવે પેલો પ્રથમના નગરવાળો દેવ શૂન્ય અરણ્યમાં આવેલા શ્રીઋષભદેવ પ્રભુના મંદિરમાં કોઈ દુષ્ટનો પ્રવેશ થવા દેતો નહીં અને ઘણી વખત તેના દ્વાર પાસે સિંહને રૂપે ઊભો રહેતો હતો. તે જિનભુવનની પાસે કોઈ એક દારિદ્રયના દુઃસહ દુઃખથી પરિતાપ પામેલા યુવાન કણબીનું ખેતર હતું, તેથી તે પ્રતિદિવસ ત્યાં હળ ખેડતો હતો અને ક્ષેમપુરમાંથી તેની સ્ત્રી તેના ઘરેથી તેને માટે ભાત લાવતી હતી, તે ઘી અને તેલ વિનાનું અરસ વિરસ ભોજન કરતો હતો. એક દિવસ કોઈ ચારણમુનિ આકાશ માર્ગે તે મંદિરના દર્શન કરવા માટે આવ્યા. શ્રીઋષભપ્રભુની સ્તુતિ કરીને મંદિરની બહાર એક જગ્યાએ તે બેઠાં. તેમને જોઈ તે ખેડૂતને ઘણો હર્ષ થયો તેથી નેત્રમાં આનંદાશ્રુ ભરાઈ ગયાં અને શરીર ભક્તિથી ભરપૂર થઈ ગયું. એટલે તે પોતાનું હળ મૂકી પરમ વિનયપૂર્વક તેમની પાસે આવ્યો અને વંદના કરી. પછી તે બોલ્યો કે—‘હે ભગવન્ ! આ અતિ દુર્લભ એવો મનુષ્ય જન્મ પામ્યા છતાં હું જન્મથી જ હમેશાંનો દુ:ખીઓ કેમ થયો ?' મુનિએ કહ્યું‘હે ભદ્ર ! તેં પરભવને વિષે ભક્તિપૂર્વક મુનિને દાન આપ્યું નથી, તેમ જિનેન્દ્રપ્રભુની આગળ નૈવેદ્ય ધર્યું નથી, તેથી તું આ જન્મમાં કોઈ પ્રકારે મનુષ્યપણું પ્રાપ્ત થયા છતા પણ ભોગ રહિત, દુઃખી અને દરિદ્રી થયો છું.' મુનિનાં આવાં વચન સાંભળી પૃથ્વી ઉપર મસ્તક નમાવીને તે મુનિ પ્રત્યે બોલ્યો—‘ભગવન્ ! મારું વચન સાંભળો. આજથી હું એવો અભિગ્રહ કરું છું કે—મારે માટે આવેલા ભોજનમાંથી શ્રીજિનેશ્વરભગવંતની પાસે એક પિંડ ધર્યા પછી અને કોઈ મુનિરાજનો યોગ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy