SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ દીપપૂજાવિષે જિનમતિ-ધનશ્રીની કથા ૧૬૫ પૂર્વભવને સાંભળતાં કનકમાળાને તત્કાળ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી કનકમાળા બોલી “હે ભગવન્ ! તમે મને મારો પૂર્વભવ કહી સંભળાવ્યો તેજ પ્રમાણે તે સર્વ જાતિસ્મરણજ્ઞાન થવાથી મારા જાણવામાં આવ્યું છે. આ પ્રમાણે કહીને સમ્યફ પ્રકારે જૈનધર્મને સ્વીકારીને કનકમાળા પોતાના સ્વામીની સાથે પોતાને ઘેર આવી. જિનમતિ દેવીએ રાત્રિના છેલ્લા ભાગે આવીને કહ્યું- હે ભદ્ર ! તે અમૃત સમાન જૈનધર્મ સ્વીકાર્યો તે બહુ સારું કર્યું; હવે હું પણ અહીંથી ચ્યવીને સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રી થઈશ. તે વખતે તારે મને ત્યાં આવીને જૈનધર્મનો પ્રતિબોધ આપવો.' આ પ્રમાણે કહીને જિનમતિ દેવી પોતાને સ્થાનકે ગઈ, અને દેવસંબંધી સુખ ભોગવવા લાગી. તેજ પ્રમાણે કનકમાળા મનુષ્યસંબંધી સુખ ભોગવવા લાગી. અનુક્રમે દેવી જિનમતિ સ્વર્ગથી ઍવીને સાગરદત્ત શ્રેષ્ઠીને ઘેર તેની સુલસા નામની સ્ત્રીના ગર્ભમાં પુત્રીપણે અવતરી. જમ્યા બાદ તેણીનું સુદર્શના નામ રાખવામાં આવ્યું. તે જ્યારે પ્રથમ યૌવનવયમાં આવી ત્યારે એક દિવસ દષ્ટિએ પડતાં કનકમાળાએ તેને કહ્યું કે “મારી સખીને સ્વાગત છે? હે બહેન ! આ ઋષભદેવ પ્રભુનું ઉત્તમ મંદિર છે કે જેના કળશ ઉપર જન્માંતરમાં સ્થાપન કરેલો રત્નનો દીપક રહેલો છે.” આ પ્રમાણેનાં વચન સાંભળવાથી તેમજ કનકમાળાને જોવાથી સુદર્શનાએ પણ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તત્કાળ તેણીએ ઘણા સ્નેહથી સખીને આલિંગન કર્યું, અને બોલી કે–“હે સખી ! તને શાબાશી ઘટે છે. તું મને ભલા પ્રયત્ન વડે પ્રતિબોધ કર્યો. આ પ્રમાણે કહ્યા પછી તે બન્ને સખીઓ પરસ્પર હર્ષ અને સંતોષ પામી. પછી શુદ્ધ શ્રમણપણું અને શ્રાવકપણે પાળી મૃત્યુ પામ્યા પછી તે બન્ને સખીઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થઈ. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ વિશુદ્ધ ચારિત્ર પાળી સર્વ કર્મનો ક્ષય કરીને તે બંને સખીઓ શાશ્વત સુખની સમૃદ્ધિરૂપ સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે ભવ્ય પ્રાણીને બોધ કરવા માટે શ્રીજિન ભવનમાં દીપદાન કરવાનું પ્રશસ્ત એવું શુભ ફળ સંક્ષેપથી કહેવામાં આવ્યું છે.” દીપપૂજા ઉપર જિનમતિ-ધનશ્રી કથા સંપૂર્ણ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy