SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર પ્રાતઃકાળે પતિની સાથે સુખે જાગ્રત થયેલી કનકમાળાએ પોતાના આત્માને દેવતાએ રચેલા ભુવનમાં રહેલો જોયો. દેવતાના ભુવન જેવું તે ભુવન જોઈને લોકો કહેવા લાગ્યા કે-“આ ભુવન રાણી કનકમાળાને માટે કોઈ દેવીએ બનાવ્યું જણાય છે.' દેવી કનકમાળા તે ભુવનના ગોખમાં બેસીને રાતે પેલા જિનભુવન ઉપર રહેલા રત્નદીપકને પ્રતિદિવસ પ્રીતિપૂર્વક જોતી હતી. ' હવે દેવી જિનમતિ કનકમાળાને બોધ આપવા માટે એકદા રાત્રીના પશ્ચિમ પહોરે સ્વર્ગમાંથી ત્યાં આવી અને કહેવા લાગી કે “હે કૃશોદરી ! આ સુવર્ણ, મણિ અને રત્નજડિત ભવનમાં રહેલી તું જે ક્રીડા કરે છે તે પૂર્વ જન્મમાં શ્રીજિનભવનમાં દીપદાન કરવાનું ફળ છે.” આ પ્રમાણે તેને પ્રતિબોધ થવા માટે તે દેવી પ્રતિદિન વારંવાર કહ્યા કરતી હતી. તે સાંભળી કનકમાળા પણ વિચારતી કે “આ પ્રમાણે હમેશાં મને કોણ કહે છે? એનો ખુલાસો જો કોઈ અતિશય ઉત્તમ જ્ઞાનઋદ્ધિવાળા મુનિરાજ અહીં આવે તો હું તેમને પૂછી જોઉં.” આવી રીતે કનકમાળા ચિંતવન કરે છે તેવામાં એકદા ગણધર આવીને સમવસર્યા. તેમને ઉદ્યાનમાં આવેલ જાણીને કનકમાળા રાજાની સાથે ભક્તિથી ત્યાં વાંદવાને આવી. મુનિને જોઈ વંદના કરી ધર્મ સાંભળીને કનકમાળાએ પોતાનો સંશય પૂછળ્યો કે “હે ભગવન્! હમેશાં અર્ધ રાત્રે મારી આગળ આવીને કોઈ મારા ઉપર પ્રમાણે બોલે છે તે શા નિમિત્તે બોલે છે એ જાણવાનું મને મોટું કૌતુક છે.” મુનિ બોલ્યા–“ભદ્ર ! પૂર્વભવે જિનમતિ અને ધનશ્રી નામે તમે બંને સખીઓ હતી. શ્રીજિનેશ્વરભગવંતની પાસે પ્રતિદિવસ દીપક કરવાથી તમો બંને મરણ પામીને દેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને તું આ રાજાની રાણી થઈ છે અને તે જિનમતિ દેવલોકમાં રહી છે. તે હમેશાં ત્યાંથી આવીને તને પ્રતિબોધ કરવા માટે એ પ્રમાણે કહે છે. તે જિનમતિ સ્વર્ગમાંથી ચ્યવી આ જન્મમાં પણ તારી સખી થશે અને મૃત્યુ પામીને તમે બન્ને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થશો. ત્યાંથી અવી મનુષ્યપણું પામી વ્રત અંગીકાર કરી સર્વ કર્મનો ક્ષય કરી તમે બને સિદ્ધિપદને પ્રાપ્ત કરશો. તમે પૂર્વભવે શ્રીજિનભુવનમાં દીપદાન કરેલ છે. તેનું ફળ મોક્ષપ્રાપ્તિરૂપ તમને પ્રાપ્ત થશે, તેમાં જરા પણ સંદેહ નથી.” આ પ્રમાણે મુનિરાજનાં વચનથી પોતાના Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy