SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દીપપૂજાવિષે જિનમતિ-ધનશ્રીની કથા ૧૬૩ જળથી મિશ્ર એવા પુષ્પોની વૃષ્ટિ તે જિનમંદિર ઉપર કરીને તે બન્ને સખીઓએ ત્રણ પ્રદક્ષિણા દઈને શ્રી ઋષભદેવ ભગવંતને વંદના કરી અને ભક્તિથી ભરપૂરપણે વારંવાર સ્તુતિ કરીને પોતાને સ્થાને જઈ મનગમતાં સુખો ભોગવવા લાગી. અનુક્રમે ધનશ્રી દેવતાનું આયુષ્ય ક્ષીણ થતાં દેવલોકમાંથી ચ્યવીને હેમપુર નગરમાં ત્યાંના રાજાની કનકમાળા નામે રાણી થઈ. તે બધી રાણીઓમાં સર્વોપરી હતી; અને રાજા મકરધ્વજને પોતાના પ્રાણથી પણ વધારે વહાલી હતી. તે રાજાને બીજી દઢમતિ નામે રાણી હતી, તે પરાભવના દુ:ખથી મૃત્યુ પામીને રાક્ષસી થઈ. રાજા કનકમાળાની સાથે એવો વિષયાસક્ત થયો કે તે દોગંદુકદેવની જેમ ગતકાળને પણ જાણતો નહોતો. રાણી કનકમાળા રાત્રે પોતાના વાસગૃહમાં દેહની કાંતિથી સૂર્યના પ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશતી હતી. અન્યદા પેલી રાક્ષસી રાજાને કનકમાળામાં આસક્ત જાણીને ક્રોધ કરી અર્ધરાત્રે રાજાની પાસે આવી, અને દાઢોથી વિકરાળ મુખવાળો, ભયંકર નેત્રવાળો, યમરાજ જેવા રૂપવાળો અને ફંફાડા મારતો એક સર્પ વિતુર્વીને તેણે તેનો વધ કરવા માટે મૂક્યો. પણ તે સર્પ કનકમાળાનું તેજ સહન કરી ન શકવાથી નેત્રને મીંચી દઈ પોતાના દેહને કુંડળાકારે કરીને તેની પાસે જ બેસી ગયો. હવે સર્પ રાણીને પરાભવ કરે ત્યારે અગાઉ તો અત્યંત કોપાનળથી પ્રજવલિત થયેલી પેલી રાક્ષસીએ મંદસન્ધી જીવોના પ્રાણ હરી લે તેવો ભયંકર શબ્દ કર્યો. તે સાંભળીને રાજા કાંઈ પણ ક્ષોભ પામ્યા વગર પોતાની પ્રિયા સહિત બેઠો થયો અને જુએ છે તો પોતાની પ્રિયાના તેજથી નિસ્તેજ થયેલો સર્પ તેની પાસે બેઠેલો દીઠો. એટલામાં તે સર્પ ભયંકર રૂપ કરીને કનકમાળાને ડસવા તૈયાર થયો; પરંતુ કનકમાળા પોતાના સત્ત્વથી કિંચિત્ પણ સ્મલિત થઈ નહીં. તે જોઈને પેલી રાક્ષસી તેના પર તુષ્ટમાન થઈ, તેથી પ્રસન્ન રૂપ કરીને બોલી કે– “વત્સ ! હું તારી ઉપર સંતુષ્ટ થઈ છું, તેથી તું જે માગીશ તે હું આપીશ.' કનકમાળા બોલી “હે ભગવતી ! જો તમે મારી ઉપર સંતુષ્ટ થયા હો તો આ નગરમાં એક મણિરત્નમય મોટો પ્રાસાદ મારે માટે કરી આપો.” તે સાંભળી ‘તથાસ્તુ' એમ કહીને રાક્ષસી પોતાને સ્થાનકે ગઈ અને જાણે રાક્ષસીથી ભય પામી હોય તેમ રાત્રી પણ નાશ પામી. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy