SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર દીપદાન કર્યું હોય તો તેનું ફળ દેવતા તથા મનુષ્યભવનું સુખ અને પ્રાંતે મોક્ષ પ્રાપ્ત થાય તે છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે–શ્રીવીતરાગ પ્રભુની પાસે દીપદાન કરવાથી નિર્મળ બુદ્ધિ થાય, દેહ અખંડિત રહે અને વિવિધ પ્રકારનાં રત્નો પ્રાપ્ત થાય. જે પ્રાણી જિનેશ્વરભગવંતની આગળ પરમ ભક્તિથી દીપક કરે છે તેના પાતક દગ્ધ થઈ જાય છે તેમાં બીલકુલ સંદેહ નથી.” આ પ્રમાણે જિનમતિનાં વચનો સાંભળીને ધનશ્રી પણ પ્રભુની આગળ મંડલ આળેખી પુષ્પ અક્ષતાદિ વડે પૂજા કરી ભક્તિથી દીપદાન કરવા લાગી. એવી રીતે પ્રતિદિવસ જિનેશ્વરની પાસે દીપક કરવાથી ધનશ્રીનું ચિત્ત જિનધર્મમાં નિશ્ચળ થઈ ગયું. પછી તે બંને સખીઓ ભક્તિથી ભરપૂરપણે જિનધર્મમાં એક ચિત્તવાળી થઈને ત્રણે કાળ જિનેશ્વરની પાસે દીપક કરવા લાગી. અન્યદા ધનશ્રીએ પોતાની મેળે પોતાના જીવિતવ્યનો છેડો નજીક આવેલો જાણી જિનમતિનાં વચનથી વિધિવડે અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિધિપૂર્વક અનશન પાળી શુદ્ધ વેશ્યા વડે મૃત્યુ પામીને ધનશ્રી સૌધર્મ દેવલોકમાં દિવ્ય રૂપવાળી દેવી થઈ. ધનશ્રીના મૃત્યુ પછી જિનમતિ તેના વિયોગે વિશેષ દુઃખી થઈ અને પ્રતિદિવસ જિનેશ્વરભગવંતની પાસે દીપક કરવાનો વિશેષ ઉદ્યમ કરવા લાગી. તે પણ આયુષ્યને અંતે અનશન કરી વિધિપૂર્વક મૃત્યુ પામીને દૈવયોગે સૌધર્મ દેવલોકમાં ધનશ્રીના વિમાનમાં જ દેવી થઈ. અવધિજ્ઞાન વડે પૂર્વજન્મનો સંબંધ જાણી તે બને ત્યાં પણ ઘણાં સ્નેહવાળી સખીઓ થઈ. તે બન્ને સખીઓ પોતાની અપાર સમૃદ્ધિ જોઈ મનમાં વિસ્મય પામીને ચિંતવવા લાગી કે “આપણને ક્યા સુકૃતથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ?' ઉપયોગ આપતાં તેઓએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે ‘જિનભુવનમાં દીપદાન કરવાથી આપણને આવી મનોવાંછિત સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે.” પછી શ્રી ઋષભદેવ ભગવંતના શ્રેષ્ઠ મંદિરને સંભારી તેઓ બન્ને તત્કાળ મેઘનગરમાં આવી અને ત્યાં નવીન ફાટિકના શિલાતળથી રચેલું સુવર્ણ મણિ અને રત્નોના સ્તંભોવાળું અને કમળની જેવું વિકસિત શ્રી ઋષભદેવ ભગવંતનું મંદિર બનાવ્યું. તે મંદિરને સુવર્ણ દંડથી યુક્ત એવા ધ્વજમાળથી અલંકૃત કરી તેના કળશ ઉપર ઉત્તમ રત્નથી નિર્મિત એવો એક દીપક મૂક્યો. પછી સુગંધી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy