SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દીપપૂજાવિષે જિનમંતિ-ધનશ્રીની કથા જે પુરુષ પરમ ભક્તિથી શ્રીજિનેશ્વરના મંદિરમાં દીપક કરે તે નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર પુરુષ દેવતાના વિમાનમાં ક્રીડા કરે છે. શ્રીજિનભુવનમાં ભક્તિથી પરમ કલ્યાણરૂપ દીપક કરવાથી જિનમતિએ અને ધનશ્રીએ દેવપણું પ્રાપ્ત કર્યું હતું, તેની કથા આ પ્રમાણે— આ ભરતક્ષેત્રમાં ભૂમંડલમાં પ્રસિદ્ધ અને દેવતાના નગરની જેમ 'વિબુધજનના નિવાસરૂપ મેઘપુર નામે નગર છે. તે નગરમાં મેઘ નામે પ્રતાપી રાજા હતો. જે સિંહની જેમ શત્રુરૂપ હાથીઓના ગર્વનો નાશ કરનાર હતો. તે નગરમાં સુરદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ગુણવાન પ્રભુના ચરણની પૂજામાં ઉદ્યુક્ત અને સમક્તિ દૃષ્ટિવંત હતો. તેને નિર્મળ એવા જિનધર્મમાં તત્પર, નિર્મળ ગુણરૂપી રત્નોથી શરીરને શોભાવનાર અને નિર્મળ શીલરૂપ આભૂષણવાળી શીલવતી નામે સ્ત્રી હતી. તે દંપતિને નિર્મળ સમક્તિમાં પ્રીતિવાળી જિનમતિ નામે એક ઉત્તમ પુત્રી હતી. તે પુત્રીને સમક્તિથી રહિત ધનશ્રી નામે સખી હતી. તે બંને સખીઓ સમાન રીતે એકબીજાના સુખે સુખી, દુઃખે દુ:ખી અને સમાન સ્નેહવાળી હતી, તેમજ રૂપ તથા સૌભાગ્યમાં પણ સરખી હતી. એક વખતે શ્રીજિનેશ્વરભગવંતના મંદિરમાં જિનમતિને દીપક ધરતી જોઈને ધનશ્રીએ પૂછ્યું કે—‘પ્રિય સખી ! શ્રીજિનેશ્વરની આગળ દીપક ધરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે કહે કે જેથી હું પણ પ્રત્યેક સંધ્યાએ જિનભુવનમાં દીપક કરું.' જિનમતિ બોલી—ભદ્રે ! શ્રીજિનેશ્વરભગવંતની પાસે ભક્તિથી ૧. પંડિત પુરુષ, પક્ષે દેવ. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy