SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર સાંભરી આવ્યું. એટલે તે બંનેએ મુનિ પ્રત્યે કહ્યું કે–“હે ભગવન્ ! તમારું કહેવું બધું જાતિસ્મરણથી અમારા જાણવામાં આવ્યું છે, અને તે તે જ પ્રમાણે છે. પછી વિનયશ્રી બોલી-“હે ભગવન્! હું શું અગ્નિમાં પ્રવેશ કરું? કારણકે જે પૂર્વભવનો મારો બંધુ તે આ ભવમાં મારો પતિ થયો છે. હે ભગવંત ! આ જન્મને ધિક્કાર છે, ધિક્કાર છે. આ લોકમાં પણ મારો જન્મ નિંદિત છે, કેમકે પૂર્વ ભવનો ભ્રાતા તે આ ભવે ભત્ત થયો. મુનિએ કહ્યું– ભદ્રે ! એવું દુ:ખ ધર નહીં; કારણ કે આ સંસારમાં મૃત્યુ પામ્યા પછી બંધુ હોય તે ભર્તા પણ થાય છે.” તે બોલી-“હે ભગવન્! જો કે સંસારમાં સર્વે એવું છે પણ જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી દુઃખ થતું નથી, પરંતુ આત્મહિતને ઇચ્છનારો એવો કોણ પ્રાણી જાણીને વિષ ખાયતેથી હવે જ્યારે હું જ્ઞાત થઈ ત્યારે પૂર્વ ભવના ભ્રાતાની સાથે ભોગને ઇચ્છતી નથી, માટે આજથી જાવજીવ સુધી મારે નિયમાર્થે બ્રહ્મચર્ય છે. તો હવે હે ભગવન્! આ સંસારભ્રમણના દુઃખનો નાશ કરનારી દીક્ષા મને આપો.' મુનિ બોલ્યા-ભદ્રે ! તારો આ વિવેક ઉચિત છે.” પછી જયકુમાર પણ બોલ્યો- હે ભગવન્! આ સંસારને ધિક્કાર હો કે જેમાં પૂર્વભવની મારી બેન મૃત્યુ પામીને કર્મયોગે આ ભવમાં મારી સ્ત્રી થઈ; તેથી હું જો કે આ સંસારથી વિરક્ત થયો છું પણ દીક્ષા પાળવાને અસમર્થ છું તો મારે શું કરવું ? મારે જે કરવા યોગ્ય હોય તે મને બતાવો.' મુનિ બોલ્યા–“ભદ્ર ! જો તું દીક્ષા પાળવાને અસમર્થ હો તો સમક્તિ વડે શુદ્ધ એવા શ્રાવકધર્મને અંગીકાર કર.' પછી વિષયસુખમાં નિરપેક્ષ થયેલી વિનયશ્રીને મુનિએ વિધિપૂર્વક દીક્ષા આપી અને જયકુમારને શ્રાવકધર્મને વિષે સ્થાપિત કર્યો. પછી વિનયશ્રી સાધ્વીને ખમાવી, ગુરુના ચરણકમળમાં નમી જિનધર્મને ગ્રહણ કરી જયકુમાર પોતાના નગરમાં આવ્યો. છેવટે વિનયશ્રી સાધ્વી સુવ્રતાગુરુણીની સમીપે રહી દીક્ષા પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વતસ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત થઈ. પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા સંપૂર્ણ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy