SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા ૧૫૯ હતાં, તેમનાં દાંતની કાંતિ નિર્મળ અને શ્વેત હતી, નિર્મળ એવા ચાર જ્ઞાને યુક્ત હતા અને નામે પણ નિર્મળાચાર્ય હતા. તેમને જોઈને વિનયશ્રીએ કહ્યું કે ‘હે સ્વામી ! આ કોઈ મુનીશ્વર દેખાય છે, તેથી આપણે ત્યાં જઈ પરમ ભક્તિથી તેમને વંદના કરીએ.' તે સાંભળી કુમાર પોતાના પરિવાર સાથે તરત જ ત્યાં ગયો અને પરમ વિનયપૂર્વક તેણે તે મુનિને વંદના કરી. મુનિએ સંસારરૂપ દુસ્તર સાગરને ઉતારનાર ધર્મલાભ આપીને કુમારને કહ્યું કે હે જયકુમાર ! તમને સ્વાગત છે.' ત્યારપછી વિનયશ્રીને પણ નામ દઈને કહ્યું– ‘ભદ્રે ! તને ધર્મસંપત્તિ પ્રાપ્ત થાઓ.' આ પ્રમાણે મુનિના કહેવાથી વિનયશ્રીએ પુનઃ મુનિના ચરણકમળમાં પ્રણામ કર્યો. પછી તે બંને સ્રીપુરુષ હૃદયમાં ચિંતવવા લાગ્યા કે ‘આ ભગવંત અમારા નામ ક્યાંથી જાણે ? અથવા તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કારણ કે મુનિઓ જ્ઞાનધારી હોય છે.’ પછી તે મુનિરાજનાં વચનથી જિનધર્મ સાંભળીને જયકુમા૨ે નમસ્કાર કરી પોતાનો પૂર્વભવ પૂછ્યો કે “હે ભગવન્ ! મેં પૂર્વ ભવે શું ઘણું નિર્મળ પુણ્ય કર્યું હતું કે જેથી આ ભવમાં મને હૃદયને ઇચ્છિત રાજ્ય અને આ સ્ત્રી પ્રાપ્ત થયાં ?” મુનિ બોલ્યા—“હે મહાશય ! તું પૂર્વભવે એક વણિકનો પુત્ર હતો, તારે લીલાવતી નામે એક જ્યેષ્ઠ ભગિની હતી. તે તને બહુ વહાલી હતી. તે ત્રિકાળ જિનપૂજા કરતી હતી. તેને પૂજા કરતી જોઈને તને પણ જિનપૂજામાં શ્રદ્ધા થઈ અને તેથી તું પણ તેમાં પ્રવર્તો. તે શ્રીજિનપૂજાના પુણ્યથી દેવલોકના સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને આ ભવમાં તે આવું રાજ્ય પ્રાપ્ત કર્યું. હજુ પણ કેટલાક જન્માંતરમાં દેવ તથા મનુષ્ય ભવનાં સુખ ભોગવીને જિનપૂજાના પ્રભાવવડે પ્રાંતે સિદ્ધિસુખને પ્રાપ્ત કરીશ.” આ પ્રમાણેનો પોતાનો પૂર્વભવ સાંભલી હૃદયમાં હર્ષ પામીને તેણે પૂછ્યું—“હે ભગવન્ ! જિનપૂજાના પ્રભાવથી મારી બેન લીલાવતી કઈ ગતિને પ્રાપ્ત થઈ ? અને હાલ તે ક્યાં છે ?” મુનિ બોલ્યા—“તે લીલાવતી સૌધર્મ દેવલોકમાં દેવતાનાં સુખ ભોગવીને દૈવયોગે આ ભવમાં આ તારી સ્ત્રી થયેલી છે.’’ આ પ્રમાણે મુનિનાં વચનથી પોતાનું ચરિત્ર સાંભળીને તે બંનેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, જેથી પોતાના પૂર્વભવનું બધું ચરિત્ર તેમને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy