SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર દેખાડ્યાં. તે જોતાં પણ રાજકન્યાની દૃષ્ટિ કોઈના પર આનંદ પામી નહીં. કારણકે કર્મવશે અન્ય કોઈની ઉપર દૃષ્ટિ સ્થિરતા કરતી જ નથી, પૂર્વ સંયોગવાળા ઉપર જ દષ્ટિ કરે છે. આ પ્રમાણેની હકીકતથી હૃદયમાં દુઃખ પામેલા રાજાએ પોતાની રાણી સાથે ચિંતવ્યું કે “શું આ પુત્રીને પસંદ આવે તેવો કોઈ રાજપુત્ર આ જગતમાં વિધિએ બનાવ્યો જ નથી ?' અન્યદા જયકુમારનું રૂપ પટ ઉપર આળેખી મંગાવીને તેને બતાવવા મોકલ્યું; તે જોઈને હર્ષ વડે તેના રોમાંચ ખડા થયા અને સ્નિગ્ધ દષ્ટિએ તે રૂપ જોવા લાગી. તે વાત જાણીને રાજાએ કહ્યું કે “આ જયકુમાર ઉપર વિનયથી અનુરાગવાળી થઈ દેખાય છે તે ઘટે છે. કારણ કે હંસલી હંસને જ પસંદ કરે, કાગને પસંદ કરે નહીં.” પછી રાજાએ કન્યાદાન નિમિત્તે પોતાના મંત્રીને બોલાવીને પદ્મપુરે પધરાજાની પાસે મોકલ્યા. તે મંત્રીએ પદ્મપુરમાં જઈ પદ્મરથ રાજાને નમીને કહ્યું કે “હું સુરપુર નગરથી તમારી પાસે આવ્યો છું. અમારા રાજા સુરવિક્રમે કહેવરાવ્યું છે કે મારે વિનયશ્રી નામે એક સુંદર પુત્રી છે, તે તમારા પુત્ર જયકુમારને મેં આપી છે.” મંત્રીનાં આવાં વચનથી તે રાજાની પુત્રીનો તેણે સ્વીકાર કર્યો; કારણ કે ઘરે આવતી લક્ષ્મી કોણ ન ઇચ્છે? રાજાએ જયકુમારને તે કન્યાના લાભના ખબર આપ્યા. તે જાણી નિર્ધન જેમ સમૃદ્ધિના લાભથી ખુશી થાય તેમ જયકુમાર પણ ખુશી થયો. પછી પદ્મરથ રાજાએ યોગ્ય સન્માન કરી તે મંત્રીને વિદાય કર્યો. તે પણ વિવાહનો દિવસ નક્કી કરીને પોતાને નગરે આવ્યો. પિતાના આદેશથી શુભ દિવસે જયકુમાર પરિજન સહિત પદ્મપુરથી ચાલ્યો અને અનુક્રમે સુરપુર નગરે પહોંચ્યો. રાજા સુરવિક્રમે મોટા ગૌરવથી સન્માન કરી મોટા વૈભવ સહિત કુમારનો નગરપ્રવેશ કરાવ્યો. પછી પાણિગ્રહણનું મુહૂર્ત પ્રાપ્ત થવાથી કુમારે ઘણા માંગલિક શબ્દો થતાં રાજકુમારીની સાથે પાણિગ્રહણ કર્યું. કેટલાએક દિવસ મોટા હર્ષથી સાસરાને ઘેર રહી પછી રજા લઈને, ઘણા સન્માન સાથે તે કુમાર પોતાના નગર તરફ જવા ચાલ્યો. જયકુમાર વિનયશ્રી સહિત અરણ્યની મધ્યમાં થઈને જતો હતો, તેવામાં દેવતાઓએ પૂજેલા અને સાધુઓના પરિવારવાળા કોઈ આચાર્ય વિનયશ્રીના જોવામાં આવ્યા. તે આચાર્યમહારાજે નિર્મળ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy