SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા ૧૫૭ પુણ્યવાળા પ્રાણીને જિનપૂજા કરવાની બુદ્ધિ થતી નથી.” આ પ્રમાણે તે બંને ભાઈ બહેન સર્વદા પોતાના નિયમમાં અખંડિતપણે વર્તતા શ્રીજિનેન્દ્રના ચરણની પૂજા કરવામાં તત્પર રહીને દિવસો વ્યતિક્રમાવતા હતા. મૃત્યુકાળે પણ તેમનું ધ્યાન શ્રીજિનેશ્વરના ચરણની પૂજામાં તત્પર રહેવાથી તેઓ બંને મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાં તે બંને પૂર્વે કરેલી જિનવરપૂજા સંબંધી ધર્મના પ્રભાવથી હૃદયને ઇચ્છિત એવાં સુખ નિરંતર ભોગવવા લાગ્યા. હવે પદ્મપુર નામના નગરમાં પદ્મરથ નામે રાજા હતો. તે રાજાને પદ્મા નામે પ્રાણપ્રિય રાણી હતી. દેવલોકમાંથી પેલા ગુણધરનો જીવ પ્રથમ ચ્યવીને તે પધરથ રાજાનો પદ્મા રાણીના ગર્ભથી ઉત્પન્ન થયેલો જય નામે પુત્ર થયો. તે કુમાર અનેક શાસ્ત્ર ને કળા ગ્રહણ કરવાથી કુશળ અને યૌવનવય તેમજ લાવણ્યયુક્ત કાંતિવડે પરિપૂર્ણ થવાથી જાણે પ્રત્યક્ષ દેવકુમાર હોય તેવો દેખાવા લાગ્યો. સુરપુર નામના નગરમાં સુરવિક્રમ નામે રાજા હતો. તેને શ્રીદેવી જેવી વલ્લભ શ્રીમાલા નામે પ્રિયા હતી. લીલાવતીનો જીવ દેવલોકમાંથી ચ્યવીને તે શ્રીમાલાના ગર્ભમાં આવી સુરવિક્રમ રાજાની પુત્રી થઈ. તે પોતાના સૌભાગ્ય ગુણથી શિવ અને વિષ્ણુની સ્ત્રીની જેન નિઃસંગ એવા મુનિઓના હૃદયને પણ હરતી હતી, તો બીજાના હૃદયને હરે તેમાં તો શું આશ્ચર્ય ! એક દિવસે તેની માતાએ પોતાની પુત્રીને પાણિગ્રહણને યોગ્ય થયેલી જાણીને રાજાને નમવા માટે મોકલી. રાજસભામાં બેઠેલા રાજાના ચરણકમળમાં નમસ્કાર કરીને તેના ખોળામાં બેઠી. પિતાએ પણ તેને મસ્તક પર ચુંબન કર્યું. તે કુમારીને વરયોગ્ય થયેલી જોઈ રાજા ચિંતારૂપ સાગરમાં ડૂબી ગયો, અને વિચારવા લાગ્યો કે આ પુત્રી કોને આપવી? તેને યોગ્ય એવો કોઈ વર જોવામાં આવતો નથી.” પછી રાજાએ કુંવરીને કહ્યું કે “અહીં બેઠેલા બધા રાજપુત્રોની ઉપર દૃષ્ટિ નાંખ, તેમાંથી જે તારા મનને ઈષ્ટ હોય તેને બતાવ કે જેથી તેને હું તારે માટે પસંદ કરું.' કુંવરીએ તેમની ઉપર દૃષ્ટિ નાખીને સત્વર પાછી ખેંચી લીધી. કારણ કે નયનને જ ન રુચે તે શું હૃદયને ગમે? પછી તેની ઉપર તેણીનું ચિત્ત વિરક્ત જાણીને રાજાએ બીજા ઘણા રાજાઓનાં રૂપ ચિત્ર મંગાવીને તેને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy