SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર આ પ્રમાણે તે મુનિરાજનાં વચન સાંભળી પવનથી હણાયેલા વૃક્ષના પત્રની જેમ કંપની તે લીલાવતી બોલી– હે ભગવન્ ! જો એમ છે તો મેં પારિણીએ જ એવું પાપ કરેલું છે.” એમ કહીને માળા સંબંધી બધો વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. પછી પૂછ્યું કે “હે ભગવન્ ! આ પાપથી મારી પારિણીની શુદ્ધિ કેવી રીતે થાય તે કહો.” મુનિએ કહ્યું કે ‘ભાવશુદ્ધિ પૂર્વક જિનપૂજા કરવાથી એ પાપની શુદ્ધિ થશે.” તે સાંભળી ઊભી થઈ નમન કરીને તે બોલી કે “આજથી મારે જાવજીવ સુધી અવશ્ય શ્રીજિનેશ્વરની પૂજા ત્રિકાળ કરવી.” પછી પશ્ચાત્તાપથી પારિતાપ પામતા શરીરવાળી તેણી શુદ્ધભાવથી વારંવાર ચરણે વળીને જિનમતિને ખમાવવા લાગી. આ પ્રમાણે મુનિનાં વચનથી લીલાવતી પરિજન સાથે પ્રતિબોધ પામી અને નિર્મળ સમક્તિને પ્રાપ્ત કરી પરમ શ્રાવિકા થઈ. કહ્યું છે કે “જયાં સુધી અર્થ-દ્રવ્યનો નાશ ન થાય, જ્યાં સુધી જીવને બાંધવનો વિયોગ ન થાય અને જ્યાં સુધી દુઃખ પામે નહિ ત્યાં સુધી પ્રાણી ધર્મને વિષે ઉદ્યમ કરતો નથી.” આ પ્રમાણે તેને પ્રતિબોધ પમાડીને જેમની સન્માનદાનાદિકથી પૂજા કરેલી છે એવા તે મુનિઓ લોકોથી પણ પ્રશંસા પ્રાપ્ત કરીને તેના ઘરમાંથી નીકળ્યા. - લીલાવતી પ્રતિદિન પરમ ભક્તિથી ઉત્તમ પુષ્પવડે શ્રીજિનેશ્વરભગવંતની પૂજા કરતી હતી. અન્યદા ઘણા દિવસ થયાં પોતાના માતાપિતાને જોયેલા ન હોવાથી તેણીને તેમની પાસે જવાની ઉત્કંઠા થઈ આવી. તેથી પોતાના પતિની આજ્ઞા લઈને તે ઉત્તરમથુરામાં આવી. ઉત્તમ દશાવાળા પુરુષના ઘરમાં લક્ષ્મીની જેમ પિતૃગૃહે લીલાવતીના આવવાથી તેના માતપિતા અને બાંધવજનને ઘણો સંતોષ થયો. તેને જિનપૂજા કરતી જોઈને એકદા તેના ભાઈએ પૂછ્યું કે “બ્લેન ! આ જિનપૂજાનું ફળ મને કહો.'તે બોલી–“હે ભાઈ ! જિનેશ્વરની પૂજાથી જીવ દેવ અને ચક્રવર્તીની ઋદ્ધિ પામીને અનુક્રમે સિદ્ધિસુખની સમૃદ્ધિને પામે છે. વળી જે ત્રિકાળ ભક્તિથી જિનપૂજા કરે છે તેને આલોકમાં પણ શત્રુ કે દુષ્ટ પુરુષોએ ઉત્પન્ન કરેલા ઉપસર્ગો થતા નથી.” બંધુ બોલ્યો “જો એમ હોય તો મારે પણ આજથી જાવજીવ સુધી એવો નિયમ છે કે હંમેશાં ત્રિકાળ જિનપૂજા કરવી.” બેન બોલી–“હે ભાઈ ! તને ધન્ય છે કે જેની આવી બુદ્ધિ થઈ; કેમ કે મંદ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy