SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પપૂજાવિષે વણિકપુત્રી લીલાવતીની કથા ૧૫૫ દાસીને કહ્યું કે “આ માળાને લઈને તું બહાર વાડીમાં ફેંકી દે, કેમકે તેને જોતાં મારાં નેત્ર દગ્ધ થાય છે. લીલાવતીનો હુકમ થવાથી દાસી જેવી તે જિનબિંબ પાસે ગઈ, તેવી તેણે તે માળા સર્પરૂપે દીઠી, એટલે દાસી તે માળા લઈ શકી નહીં; માળા લેવાને માટે લીલાવતીએ વારંવાર કહ્યા છતાં દાસીએ જયારે માળા લીધી નહીં, ત્યારે લીલાવતી પોતે માળા હાથમાં લઈને ફેંકી દેવા બહાર નીકળી, પણ દેવતાના પ્રભાવથી તે માળા તેના હાથમાંથી છૂટી જ નહીં; સર્પરૂપે તેને હાથે જ વળગી રહી એટલે તો તે ઊંચે શબ્દ વિલાપ કરવા લાગી. તેને સાંભળીને નગરલોક ત્યાં આવી પહોંચ્યા. નગરજનો તે હકીકત જાણીને તેની નિંદા કરવા લાગ્યા; તે સાંભળીને તે વિલખી થયેલી ઊભી રહી, તેવામાં બીલકુલ મત્સરથી રહિત અને સમક્તિમાં નિશ્ચળ બુદ્ધિવાળી જિનમતિ નામે ઉત્તમ શ્રાવિકા જે તેની શોક હતી તે ત્યાં આવી. લીલાવતીને રોતી જોઈને કરુણાવડે નવકારમંત્રનું સ્મરણ કરી જિનમતિએ તે માળા તેણીના હાથમાંથી લઈ લીધી. જિનમતિના હાથમાં રહેલી તે માળા શ્રીજૈનધર્મના પ્રભાવથી અધિક સુગંધવાળી થઈ ગઈ. તત્કાળ નગરના લોકોએ તેને ઘણી શાબાશી આપી; અને નિર્મળ શીલગુણવાળી તે જિનમતિ દેવતાને પણ વલ્લભ થઈ. આ અરસામાં કોઈ બે મુનિ ઘરે ઘરે ફરતાં લીલાવતીના દ્વારા પાસે આવી ચડ્યા. પોતાના દ્વાર પાસે ઊભા રહેલા તે મુનિઓને જોઈને તે તત્કાળ ઊભી થઈ . લીલાવતીએ પરિવાર સહિત પરમ વિનયપૂર્વક તેમને વંદના કરી. બે મુનિમાંથી યેષ્ઠ મુનિ ધર્મલાભ આપીને બોલ્યા કે “હે લીલાવતી ! તારા હિતને કરનારું મારું વચન તું સાંભળ-જે પ્રાણી શ્રીજિનેશ્વરભગવંતની ઉત્તમ પુષ્પ વડે ત્રિકાળ પૂજા કરે છે તે દેવતાના સુખ ભોગવી અનુક્રમે શાશ્વત સુખ(મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. જો માત્ર એક પુષ્પથી પણ શ્રીજિનેશ્વર ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરે તો તે જીવ દેવ અને અસુરોની ઉત્તમ સમૃદ્ધિને પામે છે. જે પ્રાણી મત્સરભાવથી બીજાએ કરેલી જિનપૂજાને દૂર કરે છે, તે પ્રાણી આગામી કાળે દુ:ખથી પરિતાપ પામતો હજારો ભવ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. તેમજ આ ભવમાં પણ જિનપૂજામાં વિપ્ન કરવાના કારણથી સંતપ્ત રહ્યા કરે છે અને સુખસૌભાગ્યથી રહિત થાય છે.” Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy