SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પપૂજાવિષે કથા જે પ્રાણી ઉત્તમ પુષ્પવડે શ્રીજિનેશ્વરની ત્રિકાળ પૂજા કરે છે તે પ્રાણી દેવતાનું સુખ પ્રાપ્ત કરી અનુક્રમે શાશ્વત સુખ(મોક્ષસુખ)ને પ્રાપ્ત કરે છે. શ્રીવીતરાગ પ્રભુની ઉત્તમ કુસુમ વડે પૂજા કરીને જેમ એક વણિકપુત્રી દેવ સંબંધી ઉત્તમ સુખ અને શાશ્વત સુખ પામેલી છે તેવી રીતે અન્ય પ્રાણીઓ પણ દેવસુખ અને શાશ્વત સુખને પામે છે. વણિકપુત્રી લીલાવતીની કથા આ ભરતક્ષેત્રમાં ઉત્તરમથુરા નામે એક પ્રસિદ્ધ નગરી છે, તેમાં સુરદેવ નામે પ્રસિદ્ધ રાજા હતો. તે પુરીમાં ધનપતિ નામે દ્રવ્યવાનું શ્રેષ્ઠી હતો. તેને શ્રીમાળા નામે સ્ત્રી હતી, અને લીલાવતી નામે એક પુત્રી થઈ હતી. તેનાથી કનિષ્ઠ ગુણધર નામે તેણીને એક પ્રીતિવાળો ભાઈ હતો. તે બંને સહોદર ધનપતિ શ્રેષ્ઠીના ઘરના આભૂષણરૂપ હતા. એક વખતે ઉદ્યાનમાં ગયેલી લીલાવતીને જોઈ કામદેવથી વિધાયેલા દક્ષિણમથુરાના કોઈ શ્રેષ્ઠીનો પુત્ર વિનયદત્ત તેણીને પરણ્યો. અન્યદા લીલાવતી પોતાની ધાવમાતા તથા દાસીની સાથે પોતાને સાસરે જવા ચાલી; અને પોતાના પરિજનયુક્ત પતિને ઘેર પહોંચી. સાસરાને ઘેર રહેતાં એકદા તેણે માલતીના પુષ્પની સુંદર માળા વડે પોતાની શોકે પૂજિત એવું એક જિનબિંબ દીઠું. તે જોઈ અત્યંત મત્સરથી અને અનાદિ મિથ્યાત્વ વડે મોહ પામેલા મનથી કોપાયમાન થયેલી લીલાવતીએ પોતાની Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy