SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા ૧૫૩ નમી પડ્યો. રાજાએ પુત્રને આલિંગન કર્યું. તેના નેત્રમાં અશ્રુજળ ભરાઈ ગયાં, અને બહુ દુ:ખથી રુદન કરવા લાગ્યો. ગુરુએ તેને પ્રતિબોધ આપ્યો. જયસુંદરી પણ પતિના ચરણને પકડી એવી રુદન કરવા લાગી કે જેથી દેવતાઓની પર્ષદા પણ ઘણાં દુઃખથી આકુળવ્યાકુળ થઈ ગઈ. જયસુંદરીએ રુદન કરતાં કરતાં કેવળીને પૂછ્યું કે “હે ભગવન્! ક્યા કર્મથી સોળવર્ષ પર્યત અત્યંત દુઃસહ એવો પુત્રવિયોગ મને પ્રાપ્ત થયો ?' કેવળી બોલ્યા તે પૂર્વે મુકી(પક્ષિણી)ના ભવમાં બીજી પક્ષિણીનું ઈંડું હરી લઈને સોળ મુહૂર્ત પર્યત તેણીને દુઃખ આપ્યું હતું, તેથી તારે આ ભવમાં સોળ વર્ષ પર્યત પુત્રનો વિયોગ થયો. જે પ્રાણી એક તિલમાત્ર પણ બીજાને સુખ કે દુઃખ આપે છે તે ક્ષેત્રમાં વાવેલા બીજની જેમ પરલોકમાં બહુ ફળને પામે છે.' આ પ્રમાણે ગુરુમહારાજનાં વચન સાંભળી મનમાં પરિતાપ કરતી તેણીએ રતિરાણી પાસે જઈને પોતાના જન્માંતરનું દુષ્કૃત્ય ખમાવ્યું, એટલે તેણીએ પણ જયસુંદરીને નમીને કહ્યું કે “હે મહાસતી ! તમને મેં પુત્રવિયોગ સંબંધી દુઃખ આપ્યું તે ક્ષમા કરો.' ગુરુ બોલ્યા–“તમે બંનેએ મત્સરભાવથી જે ગુરુ કર્મ બાંધ્યાં હતા તે આજે ખમાવવાથી સર્વે ખપી ગયાં છે.' તે પછી રાજાએ પૂછ્યું કે હે ભગવન્! મેં પૂર્વભવે શું શુભ કર્મ કરેલ છે કે જેથી આ સુંદરીઓ અને કુમાર સાથે મને રાજ્ય પ્રાપ્ત થયું ?' ગુરુ બોલ્યા–“તમે શુકપક્ષીના ભાવમાં પ્રભુની આગળ અક્ષતના ત્રણ પુંજ કરેલા છે, તેનું છેલ્લું ફળ એ થશે કે આ ભવથી ત્રીજે ભવે તમને શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે.” એ પ્રમાણેનાં કેવળીભગવંતનાં વચનો સાંભળીને રતિરાણીના પુત્રને રાજ્ય આપી જયસુંદરી તથા તેના કુમાર સાથે રાજાએ ગુરુની પાસે દીક્ષા લીધી. અનુક્રમે રાણી અને પુત્ર સહિત દીક્ષા પાળી મૃત્યુ પામીને હેમપ્રભરાજા સાતમા દેવલોકના ઇંદ્ર થયા. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્યપણું પ્રાપ્ત કરી કર્મથી મુક્ત થઈ અક્ષયસુખને (મોક્ષની પ્રાપ્ત કરશે. આ પ્રમાણે અક્ષતપૂજા કરવાથી રાજા, રાણી અને કુમાર તેમ જ દેવપણામાં હતી તે દેવી એ ચારે અક્ષયસુખને મોક્ષસુખને) પ્રાપ્ત કરનારા થયા.” અક્ષતપૂજાવિષે શુક્યુગલ કથા સંપૂર્ણ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy