SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર માતાપિતા વિષે પૂછું છું.' માતાએ કહ્યું–‘તે વિષે ખરી વાત તારા પિતા જાણે છે.” પિતાને પૂછતાં તેણે સંતુષ્ટ થઈને પૂર્વનો પાટલા પરથી ઉપાડી લીધાનો વૃત્તાંત કહ્યો અને જણાવ્યું કે “તે સિવાય બીજું કાંઈ મારા જાણવામાં નથી.” કુમારે કહ્યું કે “આ સ્ત્રી જેને હું સાથે લાવ્યો છું, તેને માટે એક વાનરીએ કહ્યું કે તે તારી જન્મ આપનાર માતા છે. મેં તે વાત કોઈ મુનિને પૂછી તો તેમણે પણ તેમ જ કહ્યું અને વિશેષમાં કહ્યું કે “આ વાતે હેમપુરે જઈ ત્યાં રહેલ કેવળીને પૂછજે તે વિશેષ કહેશે; માટે આપ સાથે ચાલો, આપણે તે બધી વાત કેવળીભગવંતને પૂછીએ, જેથી જીર્ણ થયેલા તંતુની જેમ મારો સંદેહ તુટી જાય.” શૂર વિદ્યાધરે તે વાત કબુલ કરી, એટલે મદનકુમાર માતાપિતાને સાથે લઈ હેમપુરના ઉદ્યાનમાં રહેલા કેવળીભગવંત પાસે આવ્યો. ભક્તિથી ભરપૂર જેના અંગ છે એવો મદનકુમાર ચરણકમળમાં નમી દેવકુમારની જેમ પરિવાર સહિત નજીકમાં પૃથ્વી ઉપર બેઠો. રાણી જયસુંદરી પણ હજારો સ્ત્રીઓની મધ્યે પોતાના પુત્રની સાથે ગુરુમહારાજનાં વચન સાંભળવા બેઠી. તે અવસરે હેમપ્રભ પણ પોતાના નરનારીના સમૂહથી પરિવારયુક્ત થઈ ત્યાં આવી ગુરુનાં વચન સાંભળવા બેઠો. પ્રસંગ આવતાં રાજાએ કેવળીભગવંતને નમીને પૂછ્યું કે “ભગવદ્ ! મારી જયસુંદરી રાણીનું કોણે હરણ કર્યું છે? કેવળી બોલ્યા–“હે રાજન્ ! તેણીના પુત્રે તેણીનું હરણ કર્યું છે.” રાજા વિસ્મય પામીને બોલ્યો-તેનો પુત્ર ક્યાંથી? તેણીને જે બાળપુત્ર હતો તે તો હત્યારા યમરાજનો કોળીયો થઈ ગયેલો છે અને બીજો પુત્ર તેને થયો નથી. એક તરફ વિચારતાં તમારું વચન અસત્ય હોય નહીં અને બીજી તરફ વિચારતાં તેણીને બીજો પુત્ર થયો નથી; તેથી વિઘટેલા કાર્યની જેમ આ વિષેનો સંશય મારા હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરે છે. કેવળી બોલ્યા–“હે રાજન્ ! મેં કહ્યું છે તે સત્ય છે, તેમાં તારે જરા પણ સંશય કરવો નહીં.' રાજા બોલ્યો-“હે ભગવન્! તે કેવી રીતે? આ વિષે મને ઘણું કૌતુક થાય છે. પછી મુનિએ રાજાને કુળદેવીની પૂજા કરવા જતાં પાટલા ઉપરથી કુમારને ઉપાડી લીધો હતો ત્યાંથી માંડીને થાવત્ તે કુમાર જયસુંદરીને લઈને તેજ ઉદ્યાનમાં આવ્યો છે ત્યાં સુધીની હકીકત વિસ્તારથી કહી સંભળાવી. તે સાંભળીને રાજા નેત્ર વિસ્તારીને ઉદ્યાનમાં ચારે તરફ જોવા લાગ્યો. તેવામાં જેના સંદેહ દૂર થયો છે એવો તે કુમાર પાસે આવીને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy