SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર અહીં તિરાણીએ દાસીના મસ્તક પર રહેલા મરેલા બાળકને દેવીની આગળ નમાડી વસ્ત્રની જેમ પાસેના શિલાતળ ઉપરતી અફળાવી સંતુષ્ટ ચિત્તે તેનો ભોગ આપ્યો. પછી રતિરાણી ઘરે આવી પોતાના મનોરથ પૂરા કરીને સુખે રહેવા લાગી; અને જયસુંદરી પુત્રના વિરહ વડે દુઃખમાં દિવસો વ્યતીત કરવા લાગી. અહીં શૂર વિદ્યાધરે પેલા પુત્રનું મદનકુમાર નામ પાડ્યું. તેણે અનેક વિદ્યાઓ ગ્રહણ કરી અને આકાશમાર્ગે ગમનાગમન કરવા લાગ્યો. એક વખતે આકાશમાં ફરતાં તેણે પોતાની માતાને જોઈ. તે જયસંદરી પોતાના ભુવનના ગોખમાં બેઠેલી હતી અને પુત્રના શોકથી તેણીના નેત્રમાંથી જળધારા ચાલી હતી. તેને જોવાથી સ્નેહ ઉત્પન્ન થવાને લીધે મદનકુમારે તેને ત્યાંથી ઉપાડી લીધી. જયસુંદરી તે કુમારને જોઈ હર્ષને વશ થઈ સતી નેત્રમાંથી નીકળતા જળ વડે તેનું સિંચન કરવા લાગી, અને વારંવાર સ્નિગ્ધ દૃષ્ટિએ તેના સામું જોવા લાગી. રાણીને આકાશમાં ઉપાડી જતાં જોઈ લોકો ઊંચા હાથ કરીને “આપણા રાજાની રાણીને કોઈ ઉપાડી જાય છે.” એમ બોલતા દોડાદોડ કરવા લાગ્યા. તે વાત સાંભળીને હેમપ્રભ રાજા અત્યંત શૂરવીર છતાં પણ આકાશમાં રહેલ તેને માટે કાંઈ કરી શક્યા નહીં, કારણ કે ઊંચા વૃક્ષના મસ્તક પર રહેલા ફળને કુબડો કેમ લઈ શકે ? પછી રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે “આ દુઃખ તો ક્ષત ઉપર ક્ષાર પડવા જેવું થયું. એક તો તેના પુત્રનું મરણ થયેલું છે, તેમાં બીજું આ સ્ત્રીનું હરણ થયું.” આ પ્રમાણે દુઃખી થયેલો રાજા પોતાના નગરમાં જ બેસી રહ્યો. “સ્ત્રીનું હરણ થવાથી કોને દુ:ખ ન થાય ?' - હવે ચાર પક્ષી જે દેવતા થયા હતા તેમાંથી પુત્ર-પુત્રીરૂપ શુકના જીવમાંથી શુકનો જીવ જે દેવલોકમાં રહેલો હતો તેણે અવધિજ્ઞાનથી જોતાં જાણ્યું કે “આ મારો ભાઈ સ્ત્રીની બુદ્ધિથી પોતાની માતાને હરી જાય છે. માટે હું તેનું નિવારણ કરું.” અહીં મદનકુમાર જયસુંદરીને લઈને પોતાના નગરની નજીક રહેલા સરોવરની પાળ ઉપર આવેલા આમ્રવૃક્ષની છાયા નીચે આવીને બેઠો.એટલે તે દેવી વાનર અને વાનરીનું રૂપ લઈને તે આંબાની શાખા ઉપર પ્રગટ થઈ. ત્યાં Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy