SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા ૧૪૯ કહ્યું – “હે સ્વામી ! પૂર્વે આપે મને જે વર આપવાને કહ્યું હતું તે વર અત્યારે આપો.” રાજા બોલ્યો-“જે ઇચ્છા હોય તે વર માગી લ્યો, હું આપવા તૈયાર છું. વધારે શું કહું ? આ જીવ માગો તો તે પણ આપવા તૈયાર છું.' રાણી બોલી–“જો એમ છે તો આ તમારું રાજ્ય પાંચ દિવસ સુધી મને આપો.' રાજાએ કહ્યું- હે પ્રિયતમા ! જો તારી એવી ઇચ્છા હોય તો આ રાજ્ય પાંચ દિવસ સુધી તને આપું છું.” રાણીએ કહ્યું–‘મહાપ્રસાદ થયો” એમ કહીને રાજ્ય સ્વીકાર્યું. પછી રતિરાણી રાજયનું પાલન કરવા લાગી. બીજે દિવસે રતિરાણીએ રાત્રિના પાછલા પહોરે માણસોને આજ્ઞા કરીને જયસુંદરીના પુત્રને પોતાની પાસે મંગાવ્યો. તે વખતે જયસુંદરી ઘણું રુદન કરવા લાગી, પણ સેવકોએ તેની દરકાર કરી નહીં. પછી તે બાળકને સ્નાન કરાવી, ચંદન, પુષ્પ અને અક્ષતથી પૂજી, નાના સરખા પાટલા ઉપર બેસીને દાસીના મસ્તક ઉપર લેવરાવ્યો. પછી પોતાના પરિજનને સાથે લઈ વાજિંત્રોના નાદ અને નરનારીના નૃત્ય સાથે દેવીને બલિદાન આપવા માટે તેને ઉદ્યાનમાં લઈને ચાલી. તે સમયે કંચનપુરના સ્વામી શૂર નામના વિદ્યાધર પતિએ આકાશમાર્ગે જતાં નીચે તે કુમારને જોયો. એટલે સૂર્યના તેજની જેમ પોતાના તેજથી આકાશને ઉદ્યોતિત કરી તે વિદ્યાધરે અલક્ષ્ય રીતે તે બાળકને ઉપાડી લીધો અને તેને ઠેકાણે બીજા મરેલા બાળકને મૂકી દીધો. પછી તે વિદ્યારે પોતાની સાથે વિમાનની અંદર સુઈ ગયેલી પોતાની સ્ત્રીની જંધા ઉપર તે બાળકને મૂકીને તેને જગાડી અને કહ્યું કે હે કૃશોદરી ! ઊઠો અને તમારા પ્રસવેલા બાળકને જુઓ' સ્ત્રી બોલી– હે સ્વામી ! મને તમે શું હસો છો ? મને તો નિર્દય દેવે હસેલી જ છે. હે વલ્લભ ! શું કદી પણ વંધ્યા સ્ત્રી પુત્રને જન્મ આપે ?' રાજા હસ્તે મુખે બોલ્યો-“જો મારા વચન ઉપર શ્રદ્ધા ન હોય તો તમે જાતે હાથ ફેરવીને રત્નની રાશિ જેવા તમારા પુત્રને જુઓ.’ આવાં વચન સાંભળીને હૃદયમાં સંશય કરતી તે સ્ત્રીને વિદ્યાધરે પરમાર્થ સમજાવીને કહ્યું કે–“પુત્રના વિરહવાળા આપણને આ જ પુત્ર છે.” રાણીએ તે વાત કબૂલ કરી. પછી તેને તેઓ પોતાના નગરમાં લઈ ગયા. ત્યાં તે પુત્ર પ્રતિદિવસ શુકલપક્ષના ચંદ્રની કળાની જેમ વધવા લાગ્યો. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy