SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર રતિરાણીના અકસ્માત બતાવેલા સત્વથી પ્રસન્ન થયો, અને તેણે રાણીના નીચે પડ્યા અગાઉ કુંડમાંથી અગ્નિ દૂર કરી દીધો. પછી તે રાક્ષસ બોલ્યો-“હે આર્યતારા સત્ત્વથી હું સંતુષ્ટ થયો છું, તેથી વધારે શું કહું? તારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લે, હું આપીશ.' રાણી બોલી– હે દેવ ! માતાપિતાએ આ હેમપ્રભરાજા જેવો વર આપ્યો છે, તો હવે બીજાં માગવાની મારે શી જરૂર છે ?' રાક્ષસ બોલ્યો-“ભદ્રે ! તો પણ માગી લ્યો. દેવતાનું દર્શન નિષ્ફળ ન થાય.” દેવીએ કહ્યું- હે દેવ ! જો એમ હોય તો આ મારા સ્વામી વ્યાધિ રહિત થઈ ચિરકાળ જીવે એવો વર આપો.' તે સાંભળી તથાસ્તુ એમ કહી, તેને દિવ્ય અલંકારથી વિભૂષિત કરી અને સુવર્ણના કમળ પર બેસાડી તે દેવ અંતર્ધાન થઈ ગયો. પછી લોકો રતિરાણી ઉપર પુષ્પવૃષ્ટિ કરીને કહેવા લાગ્યા કે “જેણે પોતાના જીવિતનું દાન આપી પતિને જીવાડ્યો એવી રતિદેવી ઘણું જીવો.' રાજાએ કહ્યું કે “પ્રિયે ! તમારા સત્ત્વથી હું સંતુષ્ટ થયો છે, માટે જે પ્રિય વર હોય તે માગો.” રાણી બોલી–દેવ ! મારા વર તો તમે જ છો, હવે બીજો વર માગવાની શી જરૂર છે ?' તે સાંભળી રાજાએ કહ્યું “તમે જીવિતરૂપ મૂલ્યથી મને હંમેશને માટે વશ કરેલો છે, માટે તે સિવાય બીજું જે કર્તવ્ય હોય તે કહો.' તે સાંભળી રાણી હાસ્ય કરીને બોલી–“હે સ્વામી! જો આપ વરદાન આપવા ઇચ્છતા જ હો તો તે તમારી પાસે રહેવા ઘો, હું અવસર આવશે ત્યારે તમારી પાસેથી માંગી લઈશ.” એક વખતે રતિસુંદરીએ પુત્રની ઈચ્છાથી પોતાની કુળદેવીને કહ્યું કે “જો મને પુત્ર થશે તો હું તમને જયસુંદરીના પુત્રનું બલિદાન આપીશ. ભવિતવ્યતાને યોગે બંને રાણીઓને ઉત્તમ પુત્રો થયા, કે જે પુત્રો ઘણા શુભ લક્ષણો વાળા અને માતાપિતાને સુખ ઉત્પન્ન કરનારા હતા. હવે રતિરાણીએ પુત્રપ્રાપ્તિથી સંતુષ્ટ થઈને મનમાં વિચાર્યું કે “કુળદેવતાએ મારી પ્રાર્થનાથી મને પુત્ર તો આપ્યો. તો હવે જયસુંદરીના પુત્રનું બલિદાન આપીને મારે તેની પૂજા કેવી રીતે કરવી ?” એમ ચિંતવતાં તેને રાજાએ આપેલો વર યાદ આવ્યો એટલે ચિંતવ્યું કે “ભલો ઉપાય મળ્યો છે; રાજાએ આપેલા વરદાન વડે હું આ રાજ્ય વશ કરીને મારું કાર્ય કરી લઈશ.” પછી તેણીએ અવસર જોઈને રાજાને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy