SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ અક્ષતપૂજાવિષે શુકયુગળની કથા પામ્યો નહીં. એક વખતે રાત્રિના પાછલા પહોરે એક રાક્ષસ પ્રગટ થઈને બોલ્યો-“હે નરેશ્વર ! જાગે છે કે ઊંધે છે ?' રાજાએ કહ્યું કે –“મને દુઃખીને નિદ્રા ક્યાંથી ?” એટલે રાક્ષસ બોલ્યો કે–“હે રાજન્ ! તારી રાણીઓમાંથી કોઈ પણ એક રાણી તારા પરથી ઉતરીને પોતાના દેહને અગ્નિકુંડમાં નાખે તો તું જીવતો રહેશે, નહીં તો જીવવાનો નથી.' આ પ્રમાણે કહીને રાક્ષસ પોતાને સ્થાનકે ગયો. રાજા હૃદયમાં વિસ્મય પામીને વિચારવા લાગ્યો કે “આ તે શું ઇંદ્રજાળ હશે ! અથવા દુઃખને લીધે મને આવું સ્વપ્ન જોવામાં આવ્યું હશે ? પણ નહીં, આ સ્વપ્ન તો નથી જ- કારણ કે મેં રાક્ષસને પ્રત્યક્ષ જોયો છે.” આ પ્રમાણે સંકલ્પ વિકલ્પ કરતાં રાત્રી વીતી ગઈ. પ્રાતઃકાળે કમલિનીનો પતિ સૂર્ય ઉદયાચળ ઉપર આરૂઢ થયો; એટલે રાજાએ રાત્રીનો બધો વૃત્તાંત પોતાના મંત્રીને કહી સંભળાવ્યો. મંત્રીએ કહ્યું કે હે દેવ ! જીવનને માટે એ કાર્ય કરવું યોગ્ય છે.” રાજાએ કહ્યું કે-“સપુરુષો બીજાના જીવથી પોતાના જીવની રક્ષા કરતા નથી માટે હું એમ કરવા ઇચ્છતો નથી, મારું જે થવાનું હોય તે ભલે થાય.” રાજાએ આમ કહ્યા છતાં પણ મંત્રીએ સર્વ રાણીઓને એકઠી કરીને રાક્ષસનો કહેલો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. મંત્રીની પાસેથી તે વૃત્તાંત સાંભળીને પોતાના જીવિતના લોભથી સર્વ રાણીઓ મૌન ધરી રહી. કોઈએ મંત્રીને પ્રત્યુત્તર આપ્યો નહીં. તે વખતે રતિ નામની મહારાણી વદનકમળને પ્રફુલ્લિત કરી ઊભી થઈ અને બોલી–“જો મારા જીવિતવડે મહારાજા જીવતા હોય તો પછી તેનાથી વિશેષ શું છે ? માટે હું તેમ કરવા ખુશી છું.” રતિરાણીનાં આવાં વચન સાંભળી મંત્રીએ રાજભવનના ગોખની નીચે જમીન ઉપર એક અગ્નિકુંડ કરાવ્યો અને તેમાં અગરુ ચંદનનાં કાષ્ઠો ભરાવ્યાં. પછી રતિરાણીએ શણગાર સજી પોતાના પતિને નમીને આ પ્રમાણે કહ્યું કે–“હે સ્વામી ! મારા જીવિતવડે આપ જીવતા રહો, હું કુંડમાં પડું છું. તે વખતે દુ:ખી થયેલો રાજા બોલ્યો કે-“હે દેવી ! મારે માટે તમે તમારા જીવિતને તજો નહીં, મારાં પૂર્વે કરેલાં કર્મ મને પોતાને જ અનુભવવા દ્યો.' તે સાંભળી રાતરાણી રાજાના ચરણમાં પડીને બોલી કે–“હે સ્વામી ! આવું વચન બોલો નહીં, મારું જીવિત જો તમારા કામમાં આવે તો તે સફળ છે.” એમ કહીને તે રાણીએ બળાત્કારે રાજાની ઉપરથી ઉતરીને ગોખની નીચે રહેલા પ્રજવલિત કુંડમાં પોતાના આત્માને પડતો મૂકયો. તે અવસરે પેલો રાક્ષસ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy