SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર ચાંચમાં લઈ પોતાનાં બચ્ચાંઓનું પોષણ કરવા લાગ્યું. એક સમયે કોઈ જ્ઞાની ચારણમુનિ ઋષભદેવપ્રભુના ચૈત્યમાં પ્રભુને વાંદવાને માટે આવ્યા. તે અવસરે રાજા અને નગરના અનેક સ્ત્રીપુરુષો ત્યાં આવેલા હતા, તેઓએ પ્રભુની પુષ્પ અક્ષતાદિ વડે પૂજા કરી. પછી તે મુનિને નમીને અક્ષત પૂજાના ફળ વિષે રાજાએ પૂછ્યું. મુનિ બોલ્યા- “જે પુરુષો અખંડિત અને સ્ફાટિકમણિ જેવા ઉજવળ અક્ષતની ત્રણ ઢગલીઓ પ્રભુની આગળ કરે છે તેઓ અખંડિત સુખને પામે છે.” આ પ્રમાણેનાં ગુરુમહારાજનાં વચનો સાંભળી લોકો ઉત્સાહપૂર્વક પ્રભુની અક્ષતપૂજા કરવા લાગ્યા. તે જોઈ પેલી પક્ષિણીએ પોતાના પતિને કહ્યું કે-“હે નાથ ! આપણે પણ અક્ષતના ત્રણ પુંજ કરીને જિનેશ્વરભગવંતની પૂજા કરીએ, કે જેથી થોડા કાળમાં આપણને પણ સિદ્ધિસુખ પ્રાપ્ત થાય.” સુડાએ તે વાત સ્વીકારી અને તરત જ અક્ષતને ચાંચમાં લઈને પ્રભુની આગળ તે શુકમિથુને ત્રણ પુંજ રચ્યા. પછી તેમણે પોતાનાં બચ્ચાંને કહ્યું કે “તમે પણ પ્રભુની આગળ અક્ષત મૂકો કે જેથી તમને પણ અક્ષય સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે પ્રભુની ભક્તિથી તે પક્ષીઓ પ્રતિદિવસ અક્ષતપૂજા કરવા લાગ્યા. અનુક્રમે આય પૂર્ણ થવાથી મરણ પામીને તે ચારે પક્ષીઓ દેવલોકમાં ગયા. ત્યાં દેવતાના સુખ ભોગવીને શુકનો જીવ ત્યાંથી એવી હેમપુર નગરમાં હેમપ્રભ નામે રાજા થયો; અને પક્ષિણીનો જીવ હતો તે દેવલોકમાંથી ચ્યવીને તે જ રાજાની જયસુંદરી નામે રાણી થઈ. જે બીજી પક્ષિણી હતી તે કેટલોક કાળ સંસારમાં ભમીને હેમપ્રભ રાજાની રતિ નામે બીજી રાણી થઈ. તે રાજાને બીજી અનુક્રમે પાંચસો રાણીઓ થઈ. પરંતુ તે સર્વમાં આ બે રાણીઓ તેને વિશેષ માનીતી હતી. એક વખતે હેમપ્રભરાજાને શરીરે અતિ દુઃસહ જવર આવ્યો. ચંદનના જળવડે સિંચન કરવાં છતાં પણ તાપ શાંત ન થવાથી ભૂમિ પર આળોટવા લાગ્યો. એવી રીતે ભોજન રહિત તે રાજાના ત્રણ સપ્તક વ્યતીત થવાથી મંત્ર તંત્રમાં કુશળ એવા વૈદ્યો પણ નાસીપાસ થઈ ગયા. વ્યાધિના અાગમને માટે રાજાએ અમારી ઘોષણા કરાવી, ઘણી જાતનાં દાન આપ્યા, જિનમંદિરોમાં પૂજા ભણાવી અને બીજા દેવોની પણ આરાધના કરી, પરંતુ વ્યાધિ શાંતિ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy