SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા ૧૪૫ માટે હે પક્ષિણી ! તને જે ઇષ્ટ હોય તે કહે, હું આપીશ.” શુકપક્ષિણી બોલી સ્વામી ! મને આ મારો ભíર જ ઇષ્ટ છે, માટે તેને જીવિત આપો, મારે બીજું કાંઈ જોઈતું નથી. તે સાંભળી રાણી હસીને બોલી– હે દેવ ! મારા વચનથી તમે એ પક્ષિણીને પતિનું દાન આપો, અને નિરંતરને માટે ભોજન પણ આપો.' રાજાએ કહ્યું – ભદ્રે ! તારા વચનથી સંતુષ્ટ થઈને હું એના પતિને છોડી મૂકું છું. તેને જ્યાં ઇચ્છા હોય ત્યાં જાય.” પછી પેલા શાલિક્ષેત્રના રક્ષકને રાજાએ કહ્યું કે તારા રક્ષણ નીચેના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા તાંદુળોનો રાશિ કરી તેમાંથી આ પક્ષીના જોડાને જોઈએ તેટલા પ્રતિદિવસ લેવા દેજે.' ક્ષેત્રપાળે કહ્યું,–“જેવી સ્વામીની આજ્ઞા.' તે સાંભળી શુક પક્ષીનું જોડું સ્વામીનો અમારી ઉપર આ મોટો પ્રસાદ થયો' એમ કહી સત્વર ત્યાંથી ઊડી ગયું, અને પૂર્વના આમ્રવૃક્ષ ઉપર આવીને રહ્યું. તેઓ દોહદ પરિપૂર્ણ થયેલો છે એવી શુકીએ અન્યદા પોતાના માળામાં બે ઇંડાં મૂક્યાં. તે જ સમયે તેની પત્ની બીજી પક્ષિણીએ તે જ વૃક્ષ ઉપર પોતાના માળામાં એક ઇંડું મુક્યું. પછી તે પક્ષિણી ચણ લેવાને માટે તે વૃક્ષ ઉપરથી ઊડીને બીજે ગઈ. તે સમય પહેલી પક્ષિણી મત્સરથી તે ઈંડું પોતાના માળામાં લઈ આવી. થોડીવારે ચણ લઈને તે પક્ષિણી આવી અને જુવે છે તો પોતાના માળામાં પોતાનું ઈંડું ન મળે; એટલે તે દુઃખથી સંતપ્ત થઈને પૃથ્વી ઉપર માછલીની જેમ તરફડવા લાગી. તેને આ પ્રમાણે તરફડતી અને વિલાપ કરતી જોઈને જેના હૃદયમાં પરિતાપ થયેલો છે એવી પ્રથમની પક્ષિણીએ તેનું ઈંડું પાછું તેના માળામાં મૂકી દીધું. પૃથ્વી ઉપર તરફડીને બીજી પક્ષિણી પાછી પોતાના માળામાં ગઈ એટલે ત્યાં પોતાનું ઈંડું તેના જોવામાં આવ્યું. તેથી અમૃતથી સિંચન થયું હોય તેમ તે શાંત થઈ ગઈ. આ પ્રમાણે કરવાથી પહેલી શુકપક્ષિણીએ દારુણ વિપાકવાળું કર્મ બાંધ્યું, પરંતુ પશ્ચાતાપ કરવાથી તેમાંનું ઘણું તો નષ્ટ કરી દીધું તો પણ એક ભવમાં ભોગવવા યોગ્ય શેષ રહ્યું. તો નષ્ટ કરી દીધું તો પણ એક ભવમાં ભોગવવા યોગ્ય શેષ રહ્યું. પેલા બે ઈંડાંમાંથી બે બચ્ચાં (સુડો ને સુડી) થયા. તેઓ વનના કુંજમાં પોતાના માતાપિતાની સાથે કલ્લોલ કરવા લાગ્યા; અને પેલું પક્ષીનું જોડું રાજાની આજ્ઞાથી શાળિના ક્ષેત્રમાં એકઠા કરેલા તંદુલસમૂહમાંથી કેટલાક દાણા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy