SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર કહ્યું–‘ભગવતી ! મારું જીવિત મારી પ્રિયતમાની સાથે જ છે, તેથી હું એકલો જીવીશ નહીં.' પરિવ્રાજિકા બોલી કે—‘તમે એક ક્ષણવાર રાહ જુઓ, કાયર ન થાઓ, હું તમારી પ્રિયાને આ લોકોની સમક્ષ અવશ્ય જીવતી કરીશ.’ તેણીનાં આવાં વચન સાંભળી રાજાનું ચિત્ત ક્ષણવાર ઉચ્છ્વાસ પામ્યું. તે કાંઈ પોતાના જીવિતના લાભથી ઉચ્છ્વાસ પામ્યું ન હતું પણ પોતાની પ્રિયાના જીવિતના લાભથી ઉચ્છ્વાસ પામ્યું હતું. પછી રાજાએ પરિવ્રાજિકાને કહ્યું કે— ‘ભગવતી ! પ્રસન્ન થાઓ અને આ મારી વલ્લભાને જીવિત આપો.' રાજાની પ્રાર્થનાથી પરિવ્રાજિકાએ શ્રીદેવીને સંજીવની ઔષિધ સુંઘાડી, એટલે તેના પ્રભાવથી સર્વ લોકોની સમક્ષ રાજાના જીવિતની સાથે રાણી સજીવન થઈ. તેને સજીવન થયેલી જોઈને સર્વ લોકોના નયનમાં આનંદાશ્રુ આવી ગયાં અને તેઓ ઊંચા હાથ કરીને ઘણા હર્ષથી નૃત્ય કરવા લાગ્યા. પછી પોતાના સર્વ અંગનાં આભૂષણોથી તે પરિવ્રાજિકાની પૂજા કરીને રાજાએ કહ્યું કે ‘હૈ આર્ય ! આજે તમે માગો તે હું આપું.’ પરિવ્રાજિકાએ કહ્યું-‘હે રાજન્ ! મારે કોઈ પણ વસ્તુની ઇચ્છા નથી, હું તારા નગરમાંથી ભિક્ષા મેળવીને સંતુષ્ટ રહું છું.' ૧૪૪ પછી રાજા પોતાની પ્રિયતમા સાથે હાથી ઉપર બેસીને પોતાના રાજભુવનમાં આવ્યો, અને ત્યાં આનંદમહોત્સવ કર્યો. પછી સ્ફાટિક મણિમય ભીંતવાળી અને સુવર્ણના સ્તંભયુક્ત એવી એક સુંદર મઢી તેણે સંતુષ્ટ થઈને પેલી પરિવ્રાજિકાને કરાવી દીધી. થોડા કાળ પછી એ પરિવ્રાજિકાએ દીક્ષા લીધી, પરંતુ આર્દ્રધ્યાન વડે મૃત્યુ પામીને તે સુડી થઈ. તે હું અહીં તમારી પાસે આવી છું. તમારી આ મહાદેવીને બેઠેલા જોઈ મને જાતિસ્મરણજ્ઞાન થયું અને તેથી મારું ને તમારું પૂર્વ ચરિત્ર મને સાંભરી આવ્યું ?' આ પ્રમાણે સર્વ વૃત્તાંત સાંભળી શ્રીદેવી રુદન કરતી બોલી–‘હે ભગવતી ! તમે મરીને શા કારણથી પક્ષિણી થયા ?' પક્ષિણી બોલી હે કૃશોદરી ! મારે માટે દુઃખી થઈને રુદન કરો નહીં; કારણ કે આ સંસારમાં કર્મના વશથી જીવને પ્રાપ્ત ન થાય એવી કોઈ સ્થિતિ નથી.' પછી સુડીએ રાજાન કહ્યું કે “હે રાજા ! સ્ત્રીના કહ્યા પ્રમાણે કરવા વિષે તમારું જ દૃષ્ટાંત છે.' તે સાંભળી રાજા સંતુષ્ટ થઈ પક્ષિણી પ્રત્યે બોલ્યા-‘તમે સ્રીના આધીનપણા વિષે મારું દૃષ્ટાંત કહ્યું તે સત્ય છે. હું તારા પર સંતુષ્ટ થયો છું. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy