SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષતપૂજાવિષે શુક્યુગળની કથા શ્રીજિનેન્દ્ર પ્રભુની આગળ અખંડિત અને સ્ફાટિક જેવા ઉજવળ અક્ષતની ત્રણ ઢગલી કરનારા પુરુષો અખંડિત સુખને પામે છે. જેમ શ્રીજિનેશ્વરભગવંતની આગળ અક્ષતનાં ત્રણ પુંજ કરનારા એવા શુકપક્ષીના જોડાએ અખંડિત એવું શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું હતું. આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામે નગર હતું, તેની બહારના ઉદ્યાનમાં દેવતાના વિમાન જેવું સુંદર શ્રી ઋષભદેવ ભગવાનનું એક મંદિર હતું. તે મંદિરની આગળ ઉત્તમ છાયાવાળું એક આંબાનું વૃક્ષ હતું. તે વૃક્ષ ઉપર પરસ્પર સ્નેહવાળું એક શુકપક્ષીનું જોડું રહેતું હતું. એક વખતે શુકપક્ષીની સ્ત્રીએ પોતાના પતિ શુકપક્ષીને કહ્યું કે-“હે સ્વામી ! મને એવો દોહદ થયો છે કે આ શાળના ક્ષેત્રની મંજરી ખાઉં; તેથી આ શાળના ક્ષેત્રમાંથી મંજરી મને લાવી આપો.” શુકપક્ષીએ કહ્યું – “પ્રિયા ! આ શ્રીકાંત રાજાનું ક્ષેત્ર છે; અને એ ક્ષેત્રમાંથી જે મંજરી લે તેનું મસ્તક લેવામાં આવે છે.” પક્ષિણીએ કહ્યું- હે સ્વામી ! તમારા જેવો બીજો કોઈ બીકણ પુરુષ નહીં હોય, કે જે પોતાના જીવનના લોભથી પોતાની સ્ત્રીનું મરણ ઇચ્છે.” આ પ્રમાણે જ્યારે સુડીએ કહ્યું ત્યારે પોતાના જીવિતની પણ ઉપેક્ષા કરીને તે શુકપક્ષી શાળના ક્ષેત્રમાં જઈ મંજરી લઈ આવ્યો. એવી રીતે પ્રતિદિવસ પુરુષો ક્ષેત્રની રક્ષા કરતા હતા છતાં પણ એ પક્ષી સુડીના કહેવાથી મંજરી લાવવા લાગ્યો. એક દિવસે તે શાલિક્ષેત્રમાં રાજા શ્રીકાંત આવી ચડ્યો. તેણે તે ક્ષેત્રનો એક વિભાગ પક્ષીએ ચૂંટેલો જોયો. રાજાએ તે શાલિ ક્ષેત્રના રક્ષકને આદર Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy