SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૧૩૯ હર્ષિત થઈને પાસે બેઠા. કેવળીભગવંતે કહેલો ધર્મોપદેશ સાંભળ્યા પછી રાજાએ નમસ્કાર કરીને પૂછ્યું કે-“હે ભગવાન ! આ ધૂપસારે પૂર્વભવમાં શું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેથી તેના દેહમાંથી હંમેશા આવો સુગંધ ઉછળ્યા કરે છે ? અને મારે તેના પર શો પૂર્વભવનો દ્વેષ છે કે જેથી મેં તે નિરપરાધી છતાં તેના શરીર ઉપર અશુચિનું વિલેપન કરાવ્યું ? વળી દેવતાઓને શું કારણ હતું કે જેથી તેમણે તેના ઉપર સુગંધી જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી ? આ બધી બાબતનું મને બહુ કૌતુક રહ્યા કરે છે, તેથી તેનું કારણ કૃપા કરીને કહો.” રાજાએ કરેલા પ્રશ્નના ઉત્તરમાં તે મહાત્મા મુનિ બોલ્યા–“આ ધૂપસારે આ જન્મની પહેલાં ત્રીજે ભવે શ્રીજિનેશ્વરભગવંતની પાસે ઉત્તમ ધૂપ ઉખવ્યો હતો અને દઢ પ્રતિજ્ઞા પાળી હતી, તે જન્મમાં આ ધૂપસાર તારો પુત્ર હતો.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત કેવળીએ રાજાને કહી સંભળાવ્યું. પછી જણાવ્યું કે “એણે પૂર્વભવમાં તારી સાથે સંગ્રામ કરતાં તેને અશુચિવિલેપન કરવાનું કહ્યું હતું, તેથી આ ભવમાં તેણે તારાથી તેવો વિપાક મેળવ્યો છે. કેવળીના મુખથી આ પ્રમાણેનાં વચનો સાંભલી ધૂપસારને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને ધર્મ ઉપર અત્યંત બહુમાન આવ્યું. પછી ધૂપસારે ધર્મની પૂર્ણ શ્રદ્ધા થવાથી સર્વ સ્નેહ સંબંધ છેદવાને માટે રાજા સહિત દીક્ષા ગ્રહણ કરી. તપ, સંયમ અને નિયમમાં તત્પર એવો ધૂપસાર દીક્ષા પાળી આયુષ્યનો ક્ષય થવાથી મરણ પામીને પહેલા રૈવેયકમાં દેવતા થયો. ત્યાંથી વીને મનુષ્ય અને દેવતા થઈ અનુક્રમે સાતમે ભવે શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરશે. ધૂપપૂજાવિષે વિનયંધરની કથા સંપૂર્ણ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy