SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ અક્ષતપૂજાવિષે શુકયુગળની કથા સહિત પૂછ્યું કે- “આ ક્ષેત્રમાં અહીં પક્ષીઓએ વિનાશ કરેલો કેમ દેખાય છે?” રક્ષક બોલ્યો-“સ્વામી ! એક શુકપક્ષી શાળની મંજરી લેવાને હંમેશા આવે છે. અમે દઢ રીતે રક્ષણ કરીએ છીએ તો પણ તે ચોરની જેમ લઈને તત્કાળ નાસી જાય છે.” રાજા બોલ્યો– “પાશ માંડીને તેને પકડી મારી પાસે લાવો, હું તે દુષ્ટને ચોરની જેમ હણીશ.” રાજાની આજ્ઞાથી એક દિવસ તે ક્ષેત્રરક્ષક પુરુષે પેલા શુકપક્ષીને સુડીના જોતાં પાશમાં પકડી લીધો, અને રાજા પાસે લઈ જવા ચાલ્યા. તે જોઈ અશ્રુજળથી જેના નેત્રો પૂર્ણ ભરેલાં છે એવી સુડી પણ તે પુરુષની પછવાડે દોડી; અને તે દુ:ખિણી સુડી પેલા રાજપુરુષની સાથે જ રાજભવનમાં પહોંચી. સભાસ્થાનમાં બેઠેલા રાજાને રાજપુરુષે આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! પેલા શુકપક્ષીને ચોરની જેમ બાંધીને અહીં લાવ્યો છું.” રાજા તેને જોઈ હાથમાં ખગ લઈ જેવો મારવા જાય છે, તેવામાં પેલી સુડી તત્કાળ પોતાના પતિની વચમાં આવીને પડી; અને બોલી કે હે રાજન્ ! નિઃશંક થઈને મારા દેહ ઉપર પ્રહાર કરો અને મારે માટે પોતાના જીવિતને આપનારા આ મારા સ્વામીને છોડી મૂકો. તમારા શાલિના ક્ષેત્રની મંજરી ખાવાનો મને દોહદ થયો હતો, તેથી મારે માટે પોતાના શરીરને તૃણ સમાન ગણીને આ મારા સ્વામી તે મંજરી લાવી આપતા હતા.” તે સાંભળી રાજા હસીને સુડા પ્રત્યે બોલ્યો- “અરે શુકપક્ષી ! તું જગતમાં પંડિત પક્ષી તરીકે વિખ્યાત છે, તે છતાં સ્ત્રીને માટે જીવિતનો નાશ કરવા તૈયાર થયો, ત્યારે તું પંડિત શાનો?” તે સાંભળી પક્ષિણી બોલી. “હે રાજન્ ! આપ વિચાર કરો, પુરુષ સ્ત્રીના અનુરાગથી માતાપિતાને તજે છે, દ્રવ્યને તજે છે, ઉપરાંત પોતાના જીવિતને પણ ત્યજી દે છે. વ્યસનમાં આસક્ત અને કામલુબ્ધ પુરુષો શું નથી કરતા ? શંકર જેવાએ સ્ત્રીને પોતાના શરીરનો અર્ધભાગ અર્પણ કર્યો છે, તો ઈતરજનની શી વાત ? તમે પણ શ્રીદેવીને માટે તમારા જીવિતને છોડી દેતા હતા; તેવીજ રીતે બીજા મનુષ્ય પણ છોડી દે છે તો પછી આ શુકપક્ષીનો શો દોષ ? સુડીનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી રાજા હૃદયમાં વિસ્મય પામી ચિંતવવા લાગ્યો કે આ પ્રાણીએ મારું વૃત્તાંત ક્યાંથી જાણ્યું ?' આ પ્રમાણે ચિંતવી રાજા બોલ્યો કે “ભાઈ ! મને સ્ત્રી માટે જીવિત છોડતાં તે ક્યારે જોયો Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy