SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર શ્રીજિનેશ્વર ભગવંતની ઉત્તમ ધૂપપૂજા કરે છે તેઓને ધન્ય છે. હું તો એક દિવસ પણ તેવી જિનપૂજા કરવાને સમર્થ થતો નથી, તેથી મારા જેવા ધર્મથી હીનના જન્મને ધિક્કાર છે.' આ પ્રમાણે ચિતવતો બાળક પોતાને ઘેર આવ્યો. તે અવસરે કોઈ ગાંધીએ આવીને સાર્થવાહને સુગંધી ધૂપ અર્પણ કર્યો. સાર્થવાહે તે ધૂપના જુદા જુદા પડીકાં બંધાવીને સર્વ સેવકોને વહેંચી દીધા, તેમાંથી એક પડીકું વિનયંધરને પણ મળવાથી તે હૃદયમાં બહુ સંતુષ્ટ થયો. બીજા પરિજનોએ તે ધૂપ ચંડિકાદિ દેવતાઓની પાસે દહન કર્યો અને વિનયંધર તો તે ધૂપ લઈને સંધ્યાકાળે જિનભવનમાં ગયો. ત્યાં જઈ હાથ પગ ધોઈ વસ્ત્ર વડે નાસિકા બાંધીને તેણે એ ઉત્તમ ધૂપ પ્રભુની આગળ દહન કર્યો. એ ઉત્તમ ધૂપની સુગંધ પૃથ્વી અને આકાશમાં સર્વત્ર પ્રસરી ગઈ, પછી એ ધીર પુરુષે ધૂપનો કડુચ્છ(ધૂપધાણું) હાથમાં રાખીને એવી પ્રતિજ્ઞા કરી કે “આ ધૂપધાણામાં રહેલો ધૂપ જયાં સુધી દહન થઈ રહે નહીં ત્યાં સુધી પ્રાણાંત ઉપસર્ગ થાય તો પણ મારે આ સ્થાનેથી ખસવું નહીં.' તે સમયે ધૂપના સુગંધથી લુબ્ધ થયેલી કોઈ યક્ષિણીએ આકાશમાર્ગે ત્યાં આવતાં પોતાના સ્વામી યક્ષને કહ્યું કે- “હે સ્વામી ! જુઓ, આ યુવાન પુરુષ શ્રીજિનેશ્વરભગવંતની આગળ ઉત્તમ ધૂપ બાળે છે. માટે તે યુવાન આવા અતિસુગંધી ધૂપને પ્રભુની આગળ દહન કરીને પોતાને સ્થાને જાય ત્યાં સુધી ક્ષણવાર આપણા વિમાનને અહીં થોભાવો.” સ્ત્રી જાતિના હઠને સમજનારા યક્ષને પોતાનું વિમાન ત્યાં થોભાવવું પડ્યું. પછી યક્ષિણીનો દુરાગ્રહ જોઈને તેણે ધાર્યું કે “હું કાંઈક ઉપદ્રવ કરીને આ પુરુષને પોતાના સ્થાનકથી ચલાયમાન કરું કે જેથી મારી સ્ત્રી અહીંથી ગમન કરવા હા પાડે.' આ પ્રમાણે વિચારીને તે યક્ષ ભયંકર સર્પનું રૂપ ધારણ કરીને વિનયંધર પાસે આવ્યો. યક્ષે રચેલા સર્પના રૂપને જોઈને બીજા સર્વ લોકો ત્યાંથી નાસી ગયા. એકલો વિનયંધર ત્યાં સ્થિત રહ્યો. તે જોઈને યક્ષે દિલમાં રોષ લાવી ચિંતવ્યું કે “મારા ભયંકર રૂપથી મૃત્યુની શંકા પામીને બીજા સર્વે તો નાસી ગયા, પણ માત્ર એકલો વિનયંધર પર્વતની જેમ પોતાના સ્થાનથી ચલાયમાન થયો નહી; તેથી હવે હું એવું કરું કે જેથી તે પોતાનું જીવિત પણ છોડી દે, અર્થાત્ મરણ પામે.” Jain Education International 2010_02 For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy