SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૧૩૧ સાંભળ્યો, એટલે તે સર્વ વૃત્તાંત તેમણે સાર્થવાહ પાસે જઈને જણાવ્યો. તે સાંભળી સાર્થવાહ કેટલાક પુરુષોની સાથે ત્યાં આવ્યો અને તેણે આદરપૂર્વક બુદ્ધિની કુશળતાથી કોઈ પ્રયોગ વડે તે બાળક સહિત પેલા પથિકને કૂવા બહાર કાઢ્યો. બહાર નીકળવાથી મનમાં હર્ષ પામીને પેલા પુરુષે સાર્થવાહને પ્રણામ કર્યો, અને કહ્યું કે–‘તમે આ બાળકને તેમ જ મને મોટું જીવિતદાન આપ્યું છે.” સાર્થવાહે પૂછ્યું કે “તમે કોણ છો? અને એ બાળક કોનો છે કે જેથી આ બાળકની ઉપર તમને આટલો બધો સ્નેહનો પ્રતિબંધ થયેલો છે ?' તે પુરુષે કહ્યું–દારિદ્રના દુઃખથી દુઃખી થઈ દેશાન્તર નીકળ્યો છું. માર્ગે અત્યંત તૃષા લાગવાથી પીડિત થઈ આ કૂવામાં પડી ગયો હતો. આજે આકાશમાંથી કૂવામાં પડતાં આ બાળકને મેં દીઠો અને કરુણા આવવાથી ઝીલી લીધો, ત્યારથી જ મને તેની સાથે સ્નેહનો પ્રતિબંધ થયો છે, પરંતુ હું દ્રવ્ય વગરનો છું તેથી આ બાળકનું પ્રતિપાલન કરવાને અસમર્થ છું; માટે તે સત્ય પુરુષ ! આ બાળક હું તમને સોંપું છું, તમે તેને ગ્રહણ કરો.” સાર્થવાહે મનમાં હર્ષ પામીને તરત જ તે બાળકને ગ્રહણ કર્યો અને પેલા પુરુષને એટલું દાન આપ્યું કે જેથી તે પણ દ્રવ્યવાન થયો. સાર્થવાહે બાળકનું વિનયંધર એવું નામ રાખી તેને પોતાની પ્રિયતમાને સોંપી દીધો. તે સ્ત્રી પણ અત્યંત સ્નેહથી તેનું પુત્રવત્ પાલન કરવા લાગી. સાર્થવાહ હંમેશાં પ્રયાણ કરતો વિનયંધરને લઈને ત્યાંથી આગળ ચાલ્યો, અને થોડા દિવસમાં પોતાના કાંચનપુર નામના નગરમાં આવી પહોંચ્યો. વિનયંધરકુમાર જો કે સાર્થવાહના પુત્ર જેવો લાગતો હતો તથાપિ લોકો તે સાર્થવાહનો સેવક કહીને જ બોલાવતા હતા. લોકોનાં આવાં વચનથી વિનયંધર મનમાં અત્યંત દુભાવા લાગ્યો, કારણ કે પરગૃહવાસી ક્યો પુરુષ તેવી સ્થિતિમાં રહેતાં દુ:ભાય નહીં ? એકદા તે વિનયંધર રમતો રમતો કોઈ જિનગૃહ પાસે આવી ચડ્યો. ત્યાં કોઈ મુનિનાં મુખથી જિનેશ્વરની ધૂપપૂજા કરવા સંબંધી ઉપદેશ તેણે આ પ્રમાણે સાંભળ્યો કે—કસ્તુરી, ચંદન, અગરુ અને કપૂર વિગેરે સુગંધી ધૂપ અને પુષ્પોથી જે શ્રીજિનચંદ્રની પૂજા કરે છે તે દેવતાઓના ઈંદ્રોથી પૂજાય છે.” આવાં મુનિનાં વચનો સાંભળીને વિનયંધરે ચિંતવ્યું કે “જેઓ નિત્ય Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy