SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર ખોળામાંથી દશ દિવસના બાળકને ઉપાડી લઈને તેઓ નગરની બહાર નીકળી અરણ્યમાં ચાલ્યા ગયા. પછી તેને જંગલમાં મૂકી દઈ પાછા આવીને તે પુરુષોએ રાજાને જણાવ્યું કે “હે સ્વામી ! અમે કુમારને તેને ઠેકાણે મૂક્યો છે કે જયાં રહેવાથી તે ક્ષણવાર પણ જીવી શકે નહીં.” તેમનાં આવાં વચન સાંભળીને રાજાનાં નેત્ર અશ્રુજળથી પૂરાઈ ગયાં. પછી પશ્ચાત્તાપથી હણાયેલા રાજાએ તે પુત્રને જલાંજલી આપી. પુત્રના વિરહથી દુ:ખ વડે ભરપૂર થયેલા હૃદયવાળી કમળાએ એવું રુદન કર્યું કે હૃદયમાં કરુણા આવવાથી નગરલોકોને પણ તેને રોવરાવી દીધાં. અહીં અરણ્યમાં પડેલા તે બાળકને માંસપિંડ જાણીને કોઈ ભારંડપક્ષી ચાંચમાં લઈ આકાશમાં ઉડ્યું. તે બીજા ભાખંડ પક્ષીના જોવામાં આવ્યું. તે બંને પક્ષી પરસ્પર તે બાળકને ઝુંટવા લાગ્યા. બંનેની ઝપટમાં તે બાળક પહેલા ભારંડના ચંચુપટમાંથી છૂટી જઈને નીચે કોઈ કૂવામાં પડ્યો. તે કૂવામાં પૂર્વે ગ્રીષ્મઋતુના અત્યંત તાપથી પિડિત થયેલો અતિ તૃષાતુર કોઈ પુરુષ જળ પીવા આવતાં પડી ગયેલો હતો. તેણે પોતાના દેહની કાંતિથી કૂવાની અંદર ચોતરફ ઉદ્યોત કરતા તે બાળકને ઉલ્કાના સમૂહની જેમ અંદર પડતો દીઠો, એટલે તે બાળક જળમાં ડૂબે તે અગાઉ તેણે ભૂજા દંડ વડે ઝીલી લઈને પિતા જેમ પુત્રને છાતી ઉપર રાખે તેમ તે બાળકને છાતી ઉપર સ્થાપિત કર્યો. પછી તે વિચારવા લાગ્યો કે હવે અહીં મને મૃત્યુ પામવાનું દુઃખ લાગતું નથી; પણ આ બાળક મારા વિના અહીં શી રીતે જીવશે ? તેની ચિંતા થાય છે; અથવા એવો વિચાર શા માટે કરવો? કારણ કે મારાથી કાંઈ એને જીવાડી શકાય તેમ નથી. પ્રાણી માત્ર પૂર્વ કર્મના યોગથી જ જીવે છે.' આ પ્રમાણે તે પંથી હૃદય ઉપર બાળકને રાખીને ચિંતવે છે તેવામાં સુબંધુ નામે કોઈ સાર્થવાહ તે અરણ્યમાં આવી ચડ્યો. અહીં કૂવામાં ક્ષુધાથી પીડિત થયેલો બાળક પેલા પંથીને ગળે વળગીને પોતાના દુઃખશલ્યને પ્રગટ કરતો કરુણ સ્વરે રુદન કરવા લાગ્યો. તેને રોતો જોઈને પેલા પથિકને બહુ દુઃખ લાગી આવ્યું, તેથી તે પણ બાળકને પોતાના ખોળામાં બેસાડીને છૂટે સ્વરે રુદન કરવા લાગ્યો, તેવામાં પેલા સાર્થવાહના પુરુષો જળ ભરવાને માટે ત્યાં આવ્યા. તેઓએ કૂવામાં થતો રુદનનો શબ્દ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy