SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા ૧૩૩ આવું વિચારી તે યક્ષ સર્પને રૂપ વિનયંધરના શરીરે વીંટાઈ વળ્યો, અને અંગેઅંગમાં ભરડો દઈ તેના હાડને મરડી નાખી ઘણી પીડા ઉત્પન્ન કરી; તો પણ તે વિનયંધર પોતાના સ્થાનથી લગારમાત્ર ચલિત થયો નહીં. તેની આવી દઢતા જોઈને યક્ષ તેના પર સંતુષ્ટ થયો અને તેની આગળ પ્રત્યક્ષ થઈને તેણે કહ્યું કે “હે ભદ્ર ! તારા સત્યથી હું જીતાઈ ગયો છે, તેથી તારી જે ઈચ્છા હોય તે માગી લે.” વિનયંધરે ધૂપ બની રહેવાથી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી એટલે તેને નમસ્કાર કરીને કહ્યું કે “આપનું દર્શન થયું, એથી મને સર્વ વસ્તુ પ્રાપ્ત થઈ ચુકી છે.” આ સાંભળી યક્ષ અધિક સંતુષ્ટ થઈને બોલ્યો “હે સપુરુષ ! એવું વચન બોલીશ નહીં, જે ઇચ્છા હોય તે માગી લે. કારણ કે ‘દેવતાઓનું દર્શન નિષ્ફળ થતુ નથી.” આ પ્રમાણે કહીને હૃદયમાં અતિ હર્ષ પામેલા તે યક્ષે તેના માગ્યા સિવાય સર્પના વિષને નાશ કરે તેવું એક રત્ન વિનયંધરને આપ્યું; અને બીજું જે જોઈએ તે માગી લેવા કહ્યું, એટલે વિનયંધરે નમસ્કાર કરીને કહ્યું કે, “મારું દાસપણું દૂર કરો અને મારું કુળ પ્રગટ કરો.” યક્ષ તથાસ્તુ' એમ કહીને તત્કાળ અંતર્ધાન થઈ ગયો. પછી વિનયંધરે પ્રભુને નમન કરી ભક્તિથી આ પ્રમાણે કહ્યું– હે પ્રભુ ! અજ્ઞાનથી અંધ એવો હું તમારા ગુણરૂપી માર્ગમાં જવાને સમર્થ નથી. તો પણ તે જિન ! તમને ધૂપદાન કરવાથી ક્યારેક તેનો અધિકારી હું થાઉં એમ જણાય છે. આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી વારંવાર ભાવપૂર્વક પ્રણામ કરીને આત્માને કૃતાર્થ માનતો વિનયંધર પોતાને ઘેર આવ્યો. હવે તે નગરનો રત્નરથ નામે રાજા હતો; તેને કનકપ્રભા નામે રાણી હતી; તેમને ભાનુમતી નામે એક કન્યા હતી. તે કન્યા ઘણા પુત્રોની ઉપર થયેલી હોવાથી રાજાને અત્યંત વહાલી છે. દૈવયોગે કોઈ ઉગ્ર સર્ષે તે કન્યાને વંશ કર્યો એટલે “દોડો, દોડો, રાજપુત્રીને સર્વે કરડી” એવો કોળાહળ શબ્દ બધા રાજભુવનમાં વ્યાપી રહ્યો. તે સાંભળી “અરે ! શું થયું ?' એમ બોલતો અને નેત્રજળથી કપોળભાગને શ્વવરાવતો રાજા પરિજનની સાથે કન્યાના ભુવનમાં દોડી આવ્યો. ત્યાં કન્યાને સુકા કાષ્ટની જેમ નિશ્રેષ્ટ સ્થિતિમાં પડેલી જોઈ રાજાની આંખ મિચાઈ ગઈ અને તે પૃથ્વી ઉપર પડી ગયો. ક્ષત ઉપર ખાર પડ્યા જેવું આ રાજા સંબંધી દુઃખ જાણી અંતઃપુર સહિત લોકો ઊંચે સ્વરે Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy