SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર મુનિનો ધર્મ તો અતિ ઉત્તમ કહેલો છે, પરંતુ તે મુનિઓ ક્યારેક પ્રાસુક જળ વડે સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ છે ?' આ પ્રમાણે કહેતી પ્રિયાને રાજાએ કહ્યું કે “હે દયિતા ! એવું બોલો નહિ. સંયમરૂપ જળમાં સ્નાન કરનારા મુનિઓ તો નિત્ય પવિત્ર જ છે.” રાણી બોલી કે “જો એમ છે તો પણ આ મુનિના અંગને આપણે પ્રાસુક જળવડે પખાળીએ કે જેથી આવી દુઃસહ દુર્ગધ નાશ પામે, આ પ્રમાણેનો પોતાની પ્રિયાનો નિશ્ચય જાણી રાજાએ કમળપત્રના પડિયામાં પર્વતના ઝરણામાંથી નીકળતું પ્રાસક જળ ગ્રહણ કર્યું અને તે જળવડે હર્ષિત ચિત્તે મુનિવરના દેહને પ્રક્ષાલિત કર્યો. પછી તેની ઉપર અતિ ઘાટા સુગંધી ગંધનું વિલેપન કર્યું. આ પ્રમાણે કરીને તે બંને મુનિવરને વંદના કરી ઉત્તમ વિમાનમાં બેસી આકાશમાર્ગે ઇચ્છિત તીર્થોની યાત્રા કરવા ગયા. અહિં મુનિના શરીર પર લગાડેલા સુગંધમાં લુબ્ધ થયેલા ભમરાઓ સુગંધી પુષ્પવાળા વનને છોડી દઈને સમકાળે તે સાધુના શરીર ઉપર આવી ગુંજારવ કરવા લાગ્યા અને તે સુગંધના આસ્વાદન માટે ચોતરફથી તેમના શરીરને ચટકા ભરવા લાગ્યા. ભમરાઓનો આવો અતિ દુસહ અને ઘોર ઉપસર્ગ થવા છતાં તે મહામુનિ મેરુપર્વતની જેમ ધ્યાનથી કિંચિત્ પણ ચલાયમાન થયા નહીં. તેવામાં અનેક તીર્થોને વંદના કરીને એક પક્ષ પછી તે ખેચરરાજા જ્યાં તે મુનિ હતા ત્યાં આવ્યા, એટલે પૂર્વ સ્થાનક જોઈ રાણીએ પૂછ્યું કે “હે સ્વામી ! આપણે જયાં પેલા મુનિવરને જોયા હતા તેજ આ પ્રદેશ લાગે છે પણ તે મુનિ અહીં કેમ જોવામાં આવતા નથી ?' રાજાએ પ્રિયાને કહ્યું હે પ્રિયા ! આપણે જે ઠેકાણે મુનિને જોયા હતા ત્યાં તો એક દવવડે દાઝેલો ખીલો દેખાય છે.” પછી વધારે તપાસ કરવા માટે તેઓ આકાશમાંથી નીચે ઉતરીને જોવા લાગ્યા તો દુષ્ટ ભમરાઓએ અત્યંત પીડા કરાતા મુનિ તેમના જોવામાં આવ્યા. તે જોઈ ખેચરે ચિંતવ્યું કે “અમે મુનિને જે ઉપકાર કર્યો તે ઊલટો અપકારરૂપ થઈ પડ્યો છે.” આવું ચિંતવી તેણે મુનિના શરીર ઉપરથી બધા ભમરાઓને ઉડાડી મૂક્યા એટલામાં તેજ સમયે ઘોર ઉપસર્ગને અંતે તે મુનિના ઘાતકર્મનો ક્ષય થતાં તેમને સર્વ દુ:ખનો નાશ કરનારું ઉત્તમ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચાર પ્રકારની દેવનિકાયના દેવતાઓ સંતુષ્ટ થઈને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy