SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ગંધપૂજાવિષે જયસૂરરાજાની કથા ૧૨૩ ત્યાં આવી કેવળજ્ઞાનનો મહિમા કરવા લાગ્યા. તેમણે મુનિરાજના મસ્તક ઉપર સુગંધી જળથી મિશ્ર એવી પુષ્પવૃષ્ટિ કરી. જયસૂર રાજા પોતાની રાણી સહિત મુનિના ચરણમાં પડ્યો અને બોલ્યો કે “હે મુનીશ્વર ! અમે તમારા પ્રત્યે જે દુશ્ચરિત કર્યું છે તે ક્ષમા કરો. મુનિ બોલ્યા- “હે રાજા ! તે બાબત તમે મનમાં કાંઈ પણ ખેદ કરશો નહીં, કારણ કે જેણે જેવું કર્મ બાંધ્યું હોય છે તેવું તેને અવશ્ય ભોગવવું પડે છે, પરંતુ મળથી મલિન એવા મુનિવરને જોઈ જે દુર્ગચ્છા કરે છે તે દુગચ્છા વડે બંધાતા કર્મના દોષથી ભવોભવ દુર્ગચ્છા કરવા યોગ્ય થાય છે, કહ્યું છે કે જેઓ મળના પંકથી અને ધૂલિથી મલિન છે, તે પુરુષો મલિન નથી પણ જેઓ પાપરૂપ પંકથી મલિન છે, તેઓ જ ખરેખરા આ જીવલોકમાં મલિન છે.” મુનિનાં આવાં વચન સાંભળી શુભમતિ રાણી ભયભીત થઈને બોલી કે “હે ભગવન્! મેં પાપીણીએ પૂર્વે તમારી દુર્ગચ્છા કરી છે. આ પ્રમાણે કહીને તે વારંવાર મુનિના ચરણમાં પડી ખમાવવા લાગી. મુનિએ કહ્યું કે “હે ભદ્ર ! તું મનમાં જરા પણ ખેદ કર નહીં.” આ પ્રમાણે શુદ્ધ ભાવથી ખમાવતાં તેણીએ પૂર્વે બાંધેલું સર્વ કર્મ શોષવી નાંખ્યું તો પણ એક જન્મમાં અનુભવવા જેટલું બાકી રહ્યું. પછી કેવળી ભગવંતનો કહેલો ધર્મ સાંભળી તેમના ચરણકમળમાં પ્રણામ કરીને જયસૂર રાજા પોતાની પ્રિયા સહિત પોતાના નગરમાં આવ્યો. જેનો દોહદ પૂર્ણ થયો છે એવી શુભમતિએ પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ મનોહર સમયે એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેનું કલ્યાણ” એવું નામ પાડ્યું. તે પુત્ર ઉંમર લાયક થતાં તેને રાજય આપીને રાજાએ શુભમતિ રાણી સહિત ગુરુમહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાને યથાર્થ પાળીને રાજા સૌધર્મ દેવલોકમાં દેવતા થયો અને શુભમતિ રાણી પણ મૃત્યુ પામીને તેની દેવાંગના થઈ. દેવીનું આયુષ્ય ઓછું હોવાથી પ્રથમ દેવી દેવ સંબંધી સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુર નગરમાં જિતશત્રુ રાજાની અતિ રૂપવતી પુત્રી થઈ. તેનું નામ મદનાવલી રાખવામાં આવ્યું. યૌવનવયમાં દેહની વૃદ્ધિથી જ્યારે તે શોભાને પ્રાપ્ત થઈ ત્યારે રાજા જિતશત્રુએ તેને પરણાવવાને માટે સ્વયંવર કર્યો. તે સ્વયંવરમાં ઘણા વિદ્યાધર, કિંનર અને રાજાઓ એકઠા થયા; પરંતુ તે સર્વને મૂકીને તે બાળા શિવપુરના નિવાસી સિહધ્વજરાજાને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy